________________ 154 ધન્યકુમાર ચરિત્ર. પિતાના ધારવાથી વિપરીત બીના બનેલી સાંભળી દીધું નિઃશ્વાસ મૂકીને તેણીએ કહ્યું કે હે સ્વામિન ! તમે કહો તેમાં શંકા જેવું તે શેનું જ હોય ? પણ હવે રૂપસેનનું શું થયું? તે કહે. - સાધુ મહારાજે રૂપસેનની સર્વ બીના કહીને કહ્યું કે- તે રૂપસેનને જીવ હરણ મેહને વશ થઈને ત્યાંથી જઈ શકતે નહેત; રાજાએ તેને માર્યો. તમે તેનાજ માંસનું આટલા હર્ષ સાથે ભેજન કરતા હતા. કર્મની ગતિ આવી વિચિત્ર છે. આ બધી હકીક્ત જાણીને અમે માથું ધુણાવ્યું હતું, બીજું કાંઈ કારણ નહોતું.' રાજારાણી આ તમામ વાત સાંભળી સંસારથી વિરક્ત બની કહેવા લાગ્યા કે આ સંસારનું સ્વરૂપ કેવું વિચિત્ર છે!' રાજાએ પૂછયું કે-મુનિરાજ ! સ્ત્રીમાં આસક્ત માણસની શું આવી જ દશ થાય છે? મુનિરાજે કહ્યું કે– હે રાજન ! કેવી ઘેર નિદ્રામાં તમે પડ્યા છો? અઢાર પાપથાનોમાંથી એક પાપસ્થાનક પણ ફક્ત એક ભવમાંજ સેવવાથી અનંત કાળ સુધી મનુષ્ય નરક તથા નિગોદમાં રખડે છે અસંખ્ય પ્રકારનાં માઠાં ફળ ભેગે છે તેનું સ્વરૂપ ફક્ત કેવળી જ જાણે છે, જો કે એક મેઢેથી તે પૂરા ગણાવી પણ શકાતા નથી. આ સંસારમાં દેવે ચ્યવને પશુ થાય છે, પશુ દેવ થાય છે, માતા પુત્રી થાય છે, પુત્રી માતા થાય છે તથા ક્વચિત્ સ્ત્રી પણ માતા થાય છે અને માતા સ્ત્રી થાય છે. પિતા પુત્ર થાય છે તથા પુત્ર પિતા થાય છે, વળી આ જીવ સેવક, શ્વાન, ઘેડો અથવા ગધેડે પણ બને છે. શત્રુ મરીને મિત્ર, પ્રિયા કે પુત્ર બને છે. રાજા મરીને દાસ બને છે. બ્રાહ્મણ મરીને ઢેઢ થાય છે, ઢેઢ બ્રાહ્મણ થાય છે, ચક્રવર્તી ભરીને કંગાળ ભિખારી