SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પલ્લવ. पङ्कजान्यपि धार्यन्ते, गुणादानाजनैर्हदि / રાગાડપિ પસાથી ન લીજે જ II. કચરામાંથી ઉત્પન્ન થયા છતાં કમળ ગુણ (દેરાને લીધે શું હૃદય પર ધારણ કરવામાં આવતું નથી અને ચંદ્રમા જેવા રાત્રિના રાજા પણ પદ્મના દ્વેષી હોવાથી (પદ્મને રાતના સંકેચી નાખે છે તેથી) શું ક્ષય પામ્યા વિના રહે છે ખરા?' માટે જે માણસે ઈર્ષ્યાથી ગુણીના ગુણ ગાતા નથી તે શુદ્ર માણસે રૂદ્રાચાર્યની માફક પરભવમાં દુઃખી થાય છે. તેની કથા સાંભળે– રૂદ્રાચાર્યની કથા. આગલા સમયમાં અગણિત ગુણોથી સુશોભિત દેહવાળા, જ્ઞાની, હજારે સાધુના પરિવારવાળા તથા સાધુના પાંચે આચાર પાળવામાં ઉઘુક્ત રૂદ્ર નામના એક આચાર્ય થઈ ગયા. તેના ગ૭માં ચાર સાધુઓ બહુ પ્રખ્યાત હતા. તે ચારે દાન પ્રમુખ મૂર્તિમંત ઉજવળ ધર્મના ચારે ભેદે હૈય તેવા શેભતા હતા. તે ચારમાં પહેલા બન્ધદત્ત નામના મુનિ વાદલબ્ધિમાં બહુ હુંશિયાર હતા. પિતાના તથા પારકા ગ્રંથોના અભ્યાસી તે મુનિરાજ વિકટ તર્કને ઉકેલી શકવાની પિતાની અસાધારણ શક્તિથી બધા વાદીઓને હરાવી દેતા. તેમને માટે પંડિત લેકે કલ્પના કરે છે કે–તે મુનિથી વાદમાં જીતાવાથીજ હલકા બનેલા ગુરૂ તથા ભાર્ગવ (શુક્ર) આકડાના તુલની જેમ આકાશમાં ભમે છે. તે મુનિ દેષરહિત તથા અલંકાર યુક્ત ગધ તથા પધ લખવામાં કવિત્વ શક્તિવાળા હતા. વર્ગના નિયમે ઉપર તેમને એટલે
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy