________________ છે અને ઈચ્છું છું કે તેઓશ્રી મારી આ માગણને પણ સ્વીકાર કરશે જ. આ ગ્રંથને સર્વાગ સુંદર રીતે લખી આપવા માટે શ્રીયુત બાલાભાઈ વીરચંદ દેસાઈ (શ્રી. જ્યભિખ્ખ)ને, સમયસર છાપકામ કરી આપવા માટે સૂર્યપ્રકાશ પ્રિ. પ્રેસના માલિક શ્રીયુત મૂળચંદભાઈ ત્રિ. પટેલ, ચિત્રો તથા જેકેટની સુંદર આકર્ષક ડીઝાઈન બનાવી આપવા માટે ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર મુરબ્બી શ્રી રવિશંકર રાવળને તથા જેકેટ અને ચિત્રો છાપી આપવા માટે કુમાર પ્રિન્ટરીના મેનેજર મુદ્રણકલાવિશારદ સ્નેહી શ્રી બચુભાઈ રાવતને પણ અત્રે આભાર માનવાની તક લઉં છું. સાબરમતી (અમદાવાદ) તા. 11--41 સારાભાઈ નવાબ