________________ પ્રકાશકનું નિવેદન ^^^ ^ ^ ^ ww શ્રી જેને પ્રાચીન સાહિત્યોદ્ધાર ગ્રન્થાવલિના ઓગણીશમાં પુષ્પ તરીકે અને શેઠ માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. તથા અ. સૌ. શ્રીમતી કમળાબહેન માણેકલાલ ચુનીલાલ શાહની સિરીઝના ચોથા મણકા તરીકે પ્રાતઃસ્મરણીય શ્રી મેતારજ મુનિવરનું જીવનચરિત્ર “મહર્ષિ મેતારજ” ના નામથી નવલકથાના સ્વરૂપમાં જનતા સમક્ષ મૂકવા હું પ્રેરાયો છું. મારી ગ્રન્થાવલિના સોળમા પુષ્પ તરીકે પૂજ્ય શ્રીધૂલિભદ્રજીના જીવન અંગેની નવલકથા “કામવિજેતા શ્રોસ્થૂલિભદ્ર”ના નામથી મેં ચાલુ વર્ષના બીજા જ (ભાઈબીજના) દિવસે જે લેખક પાસે લખાવીને રજૂ કરી હતી, તે જ લેખકની કસાએલી કલમથી લખાએલી આ બીજી નવલકથા હું માત્ર સાડા આઠ માસના અંતરમાં પ્રસિદ્ધ કરી શક્યો હોઉં તો તેને યશ આ નવલકથાના લેખકને તથા ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલયના માલિકે : ભાઈશ્રી શંભુલાલ જગશીભાઈ તથા શ્રીયુત ગોવિંદલાલ જગશીભાઈના સુપ્રયત્નને આભારી છે. | મારા છેલ્લાં ત્રણ વર્ષનાં લગભગ બધાં જ પુસ્તકે જેમ મેં શેઠ માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. તથા તેઓશ્રીનાં ધર્મપત્ની. - અ. સૌ. કમળાબહેન માણેકલાલ ચુનીલાલ શાહને અર્પણ કરેલાં છે, " તેમ આ પુસ્તક પણ તેઓશ્રી (દંપતી) ને જ અર્પણ કરવામાં આવ્યું