________________ બંધનમુક્તિ 297 અહિંસામાં માનનારને સત્ય, પરિગ્રહ કે બીજું બધું જુદું જાણવાનું હેતું જ નથી. ભોગક્ષમ અને ત્યાગક્ષમ મેતારજની સાધુતા ખૂબ જ ઝળકી ઊઠી. ગામ ગામના ખૂણે “મેતારજ મુનિનાં ગુણગાન ગવાતાં હતાં. મેતારજ મુનિ એટલે દયાને દરિયે, કણનો અવતાર !