SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ મગધરાજને જામાતા ર૬૯ જુદી વાત. અને જે બધાને મન ઉપદેશ મોટી વાત હતી તે જ્યારે મેં જાહેર કર્યું કે મેતાર્ય મેતપુત્ર છે, ત્યારે બધાને અત્યાશ્ચર્યના ઘા કેમ વાગ્યા ? કુમાર, લકે વાત કરે છે કે સારામાં સારાં ઉપાન હોય તે પણ માથે ન મૂકાય, એ તે પગે પહેરાય.” મેતાર્ય પાસે આ ઘેલાની વાતને કોઈ ઉત્તર નહે. એ નિરુત્તર બની પાછો વળતો, છતાં એમ પાછા વળે એનું દિલ પાછું ન વળી શકતું. માતંગનું દુઃખ એને ઘેરી વળતું. આખરે માતંગને પાછો વાળવા મેતાર્યો એક દિવસ ધનદત્ત શેઠના ગૃહનો ત્યાગ કર્યો. મેવાસના પડખે જઈને એ વસ્યો. દિલને ડંખ વિચારવા એણે મેતલે તારવાની પ્રવૃત્તિ આરંભી. મેતના ઉદ્યોગોને પુનર્જીવન આપવાનું શરૂ કર્યું. શુદ્ધિ ને નિર્ભયતા શીખવવા માંડ્યાં. પ્રજાએ આમાં સાથ ન પૂર્યો. કેટલાકેએ ખાનગીમાં ટીકા કરી કે કાપલીને ગમે તેટલાં ક્ષીરનીરમાં સ્નાન કરાવે, પણ કંઈ રાજહંસ બની શકશે? રાજહંસ એ રાજહંસને કાગ તે કાગ. પણ આ ટીકા મેતાર્યને ન સ્પર્શી. એણે પિતાની પ્રવૃત્તિઓને વેગ મળે તે જોવાનું રાખ્યું. શદવાસ, શકુળ ને શદ્ર જનતા ધીરેધીરે પલટો લેવા લાગી. એમનો ચોરી કરવાને તેનવ્યાપાર ધીરેધીરે દાગીરીને બનવા લાગ્યો. પારકાં મકાન તેડવાં, વાડીઓ ઘેરવી, જનકૂળ ભ્રષ્ટ કરવાની પ્રત્યાઘાતક પ્રવૃત્તિને બદલે તેઓએ રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી, અશુદ્ધિને અત્યંત હીનતાને પાશ ઘેવા ચાલ્યું. વ્યાપારકુશળ મેતાર્યો ધનદત્ત શેઠના કેપમાંથી એક માથા સુવર્ણ પણ આપ્યું નહતું, છતાં જોતજોતામાં એને ધન તે ઉભરે ભરાવા લાગ્યું. વાણિજ્યવિશારદ મેતાર્ય કઈને કઈ દયાદાન ન કરે, પણ ખૂબી એવી હતી કે પોતાને ધનને પ્રવાહ મેતકુળ ને શકુળમાં થઈને વહેતે આવતા હતા. સહુ સહુને યોગ્ય એમાંથી મળી રહેતું ને
SR No.032850
Book TitleMaharshi Metaraj
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherSarabhai Nawab
Publication Year1941
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy