________________ ૨૬૮મહર્ષિ મેતારજ પણ પ્રજાની આ પ્રશંસા, આ વિશ્વાસ મહામાત્યને કેરી ખાવા લાગ્યાં. એમના કર્તવ્યશીલ મનને લાગ્યા કરતું હતું કે બહેતર છે કે આ મહાન નેતૃત્વ તજી નિવૃત્તિ સ્વીકારવીપણ આ વાત કોને કરવી ? એકવાર મગધરાજને કહેલી ત્યારે હેહા મચી ગયેલી. મગધરાજે પોતે પણ કહાવેલું કે મારી અનુજ્ઞા સિવાય આ માર્ગે ન જવું. ત્યારે શું જીવનને આનંદ લૂંટાઈ જવા દેવો ? મહામાત્યના જેવા જ પ્રશ્નો યુવાન મેતાર્યને જન્મી રહ્યા હતા. સુરસુંદરીઓ સમો સાત સાત પત્નીએ પામીને સ્વર્ગલેક જેવાં સુખ ભોગવનારને એક વેદના સદાદિત સતાવી રહી હતી. જોકે મોંએ નહોતાં બોલતાં, પણ એમનાં અંતર હજી ય આ પ્રગટ કુળહીનતાથી ભાગતાં હતાં. તેઓને મન રાજગૃહીને લાડીલ કુમાર હવે કંઈક અપ્રિય થયો હતો. તેઓએ આ બધા પ્રકરણને સાચી સમજબુદ્ધિથી સમજવાને બદલે કેઈ નિરોનું કાવતરું ક૯પી લીધું હતું. આ કુળહીનતા કેમ ટળે ? પ્રજામાં આ પ્રત્યે આદર કેમ પેદા થાય? પદદલિત શતાને આ રીતે પડી રહેવા દઈએ તો નિરર્થક વિરોધ જ વચ્ચે જાય ! ' આ વિચારોમાં માતંગને પ્રશ્ન ઉમેરાય. ધનદત્ત શ્રેષ્ટિ અત્યંત ઉદાર હતા, પણ માતંગને પિતાને ઘેર સંધરવાનું અતિ ભયંકર સાસ તેઓ ખેડી શકે તેમ નહોતા. વિરૂપાના અકાળ અવસાન પછી મૂળથી લહેરી માતંગ બેદરકાર બન્યો હતો. એ પર્વતમાળામાં ફર્યા કરતો, સ્મશાનમાં સૂઈ રહે, ઊના પાણીના ઝરાઓની પાસેના પેલી બે સહિયરોના ચેતરાઓ પાસે આળોટતે. મેતાર્ય સમજાવવા આવતા ત્યારે એ હસીને કહે: કુમાર, આવી આવી મોટી બડાશોમાં તો વિરૂપાએ જિંદગી ધૂળધાણી કરી. ઉપદેશ સાંભળો જુદી વાત ને આચરણમાં મૂકે