SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતપુત્રને ચરણે 189 હોવાં જોઈએ તે માટે આદેશ મા. મહાનુભાવોઃ વ્રતદર્શન કરાવું તે પહેલાં એક વાત જણાવવાની કે દરેક ક્રિયા શ્રદ્ધાથી ફળવતી બને છે. અર્થાત જે દેવ, ગુરુ ને ધર્મને તમે આચરવા તૈયાર છો, તેમાં તમારી દેવ, ગુરુ ને ધર્મ તરીકેની પૂર્ણ શ્રદ્ધા હોવી ઘટે.* એ દેવગુરુએ રજૂ કરેલાં તમાં પૂર્ણ શ્રદ્ધા હેવી ઘટે. આ શ્રદ્ધા એટલે સમ્યક્ત્વ ! આવા સમ્યક્ત્વના ઉપાસક માટે મુખ્ય પાંચ વ્રત છે. આ પાંચ મહાવ્રત એટલે અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ ને બ્રહ્મચર્ય. આ પાંચ મહાવ્રતો સાધુ-સાધ્વીએ પ્રાણના ભોગે પણ પાળવાનાં છે, ગૃહસ્થ જરૂરી છૂટ લઈ શકે છે.” " આટલું શ્રવણ કર્યા પછી સભા સમાપ્ત થઈરાજામહારાજાઓએ સંઘસ્થાપનાનો ઉત્સવ ઉજવ્યો. આ ઉત્સવના પડઘાઓ આર્યાવર્તના ખુણે ખુણે પડ્યા. નવ ક્રાન્તિના પ્રવર્તક જ્ઞાતપુત્રને સંદેશ ઠેર ઠેર પ્રસરી વળ્યો. *ચા રે સેવતાવૃદ્ધિનુરી 2 ગુતામતિઃ. ધર્મ જ ધર્મી યુવા રમિપુજ્ય યોગશાસ્ત્ર: હેમચંદ્રાચાર્ય.
SR No.032850
Book TitleMaharshi Metaraj
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherSarabhai Nawab
Publication Year1941
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy