________________ 178 મહર્ષિ મેતારજ કરી રહેલા ઈંદ્રભૂતિ ગૌતમે નત મસ્તકે જ પ્રાર્થના કરીઃ હે પરમપુરુષ, વાંદવાને નિમિત્ત, પૂજવાને નિમિત્તે, સત્કારને નિમિત્ત, સન્માનને નિમિત્તે, બેધિલાભને નિમિત્તે, મેક્ષ પામવાને નિમિત્તે હું વૃદ્ધિ પામતી શ્રદ્ધાથી, નિર્દભ બુદ્ધિથી, નિર્વિકાર ચિત્તથી, નિશ્ચય અને પરામર્શપૂર્વક આપને સ્વીકારું છું. આપ મને સ્વીકારો " " તથાસ્તુ, ગૌતમ!” જ્ઞાતપુત્રે આટલી સુદીર્ઘ વિનંતીને બે જ શબ્દોમાં જવાબ વાળી દીધે ને કહ્યું: “ઈંદ્રભૂતિ, ઋણાનુબંધને પ્રેર્યો તું અહીં આવ્યો છે. મારું જ્ઞાન કહે છે, કે તું મારા સંદેશને ચિરંજીવ બનાવીશ. મારા સ્થાનને શોભાવીશ.” ગૌતમે નત મસ્તકે જાણે આ સંદેશ ઝીલી લીધો. ઇંદ્રભૂતિ ગૌતમના કુશળ ને વિદ્વાન પાંચસે શિષ્યો પણ ગુના માર્ગને અનુસર્યા. જીતવા આવેલા મહારથીઓ વગર વાદવિવાદે છતાઈ ગયા. આ સમાચાર ઝંઝાવાતને વેગે સોમિલકિજની યજ્ઞશાળામાં જઈ પહોંચ્યા. ક્ષણભર કેઈપણ આ અસંભવ ઘટનાને સંભવ માનવા તૈયાર ન થયું, પણ ઘટનાની વાસ્તવિક્તાની પુષ્ટિ આપે તેવા વર્તમાન પર વર્તમાન આવવા લાગ્યા. વેદને ગરવ કરતા કંઠ ક્ષણવાર થંભી ગયા, આહુતિ આપતા હતાઓના હસ્તો અડધે એમ ને એમ તળાઈ રહ્યા. ન માની શકાય તેવા વર્તમાન ! | સર્વવિદ્યાવિશારદ અગ્નિભૂતિ હવે સ્વસ્થ ન બેસી શક્યો. એ પિતાના આસન પરથી આવેશમાં ખડે થઈ ગયેઃ અને એણે પ્રચંડ અવાજે ઘેષણ કરી કે “મને ખબર મળી હતી કે જ્ઞાતપુત્ર જબ જાદુગર છે, મગરૂર માયાવી છે. આર્યાવર્તના પરમ ભૂષણ સમાન