________________ પુણ્યપ્રવાસ 149 પાછા ફર્યા ત્યારે દ્રવ્યની પિઠોની પિઠે તેમની સાથે હતી, કેટલાય કીમતી માલ ભરી ભરીને સાથે આણવામાં આવ્યો હતે. યોજન જન જેટલેથી એમાં રહેલા સુંદર તેજાના, વસાણું ને અમૂલ્ય કેસર– કસ્તુરી-અંબરની સુગંધ સમસ્ત પ્રદેશને છાવરી દેતી હતી. ટૂંક સમયમાં રાજગૃહી આવી પહોંચશે એવા સમાચાર મળતાં ઠેર ઠેર એમના સ્વાગત માટે ભારે તૈયારી થઈ રહી. રાજગૃહી આખું શણગારાવા લાગ્યું. શહેરની આસપાસ સુગંધી ચંદન વગેરેનાં કણે વેરવામાં આવ્યાં, આસોપાલવ ને કાળી થંભથી માર્ગ શણગારવામાં આવ્યા. ધનદત્ત શેઠને સુખરવિ આજે પૂણ મધ્યાહુને ચડ્યો હતે. શેઠાણું તો નયનાનંદ પુત્રના આગમનના સમાચાર સાંભળી ઘેલાં બન્યાં હતાં. એમણે સાંભળ્યું હતું કે કુમાર પોતાની સાથે દેશદેશની સૌંદર્યવતી કુમારિકાઓનાં કહેણ લઈને આવે છે. આ સાંભળીને તો એમનો ઉત્સાહ હદયમાં સમાય સમાતો નહોતે. આટઆટલી સમૃદ્ધિ, વૈભવ ને કીતિ વરીને ઓવનાર મગધના મહાષ્ઠિના સ્વાગતમાં શી મણું રહે! એ દિવસે રાજગૃહીમાં માટે ઉત્સવ મનાવવામાં આવ્યા. 'કુમારની અર્થપ્રાપ્તિની કથાઓ રાજસભામાં ચર્ચાવા લાગી પણ કામ અને ધર્મપ્રાપ્તિની વાત જ્યારે સ્વયં કુમારે વર્ણવી ત્યારે તે આખી સભા સ્તબ્ધ બની ગઈ વિદ્વાન ને કુશળ વ્યવહારિક મેતાર્યને રાજસભાએ દેશદેશની સ્ત્રીઓનાં વર્ણન પૂળ્યાં. મેતાર્ય રસિક પુરુષ હતે. એણે તે આખું એક શંગારશાસ્ત્ર સજીને જાણે સભા સમક્ષ રજૂ કરી દીધું. કોટીવર્ષ-લાટની સુંદર કટિપ્રદેશવાળી સુંદરીઓ, કપિલ્ય-પાંચાલની વર્ણ શ્યામ પણ શરીરસૌષ્ઠવમાં દેવાંગનાઓને શરમાવે તેવી સ્ત્રીઓ, સૌ