________________ પણ સંપ્રદાયને લગતા એવા પુસ્તકને જોઈ “રાતું કપડું જોઈ ભેંસ ભડકે” એમ ભડકી ઊઠે છે. તેઓ સંપ્રદાયને નામે સારા પુસ્તકને પણ તુચ્છકારીને અવમાનતાની ટેપલીને હવાલે કરે છે. મારી આ નવલકથાકારા જેનેને પોતાની પૂર્વ મહત્તાનું ભાન થાય ને એ માર્ગે કંઈ રચનાત્મક પ્રયત્ન સેવે; તેમજ જૈનેતર વાચકો આને જરા પૈર્યથી અપનાવે તે મારા શ્રમને સફળ લેખીશ. અંતે યુદ્ધકાળની મોધવાર્ટીના આવા કાળમાં જૈન સમાજના જાણીતા પ્રાચીનકળાના ઉપાસક શ્રી સારાભાઈ નવાબે જે સાહસ ખેડ્યું છે, તે માટે તેમને આભારી છું. પટેલનો માઢ માદલપુરા : એલિસબ્રીજ અમદાવાદ તા. 11-7-45, જ યુભિ ખુ?