________________ મહત્તા સમજતો હોય, ત્યાગ એ જ ધર્મ હોય ત્યારે જગત નવક્રાન્તિનાં દર્શન પામી શકે છે. મને લાગે છે કે ભગવાન મહાવીર ને ભગવાન બુદ્ધને એવો સમર્પણભાવના પ્રધાન યુગ હતો. અને એનું જ કારણ છે, કે એ યુગે જે આપ્યું છે, એ આજે બે હજાર વર્ષ વીત્યે હજી કઈ આપી શક્યું નથી. આ નવલકથાને કાળ અહિંસાના પરમ ઉપદેશક મહાન તપસ્વી જ્ઞાતપુત્ર મહાવીરની યુવાનીને છે. આમાં નાયક મેતારજ છે, છતાં એનું જીવન એટલું સ્વલ્પ મેળવી શકાયું છે કે ઘણીવાર એનું નાયક પદ ઝાંખું પડતું જાય છે. કેટલીકવાર એ અન્ય પાત્રાની પીઠ પાછળ પડી જાય છે. છતાં ય બધે એના જીવનસૂરનો એક તંતુ ચાલ્યો આવે છે, જે વાતાવરણને વિકસાવે છે. નાયકની આ દશા છે, જ્યારે નાયિકાનું તે ઠેકાણું જ નથી. વિરૂપા, શેઠાણ, દેવદત્તા, ચેલ્લણ, સુલસા ! સહુ સહુના વખતે સહુ પ્રમુખપદ મેળવે છે ને પછી લુપ્ત થઈ જાય છે. છતાં ય સમર્પણની ધારા વહાવતાં એ સ્વલ્પ તે ય રસભર્યા જીવનમાંથી મારા જેવો એક આખી નવલકથા રચી શક્યો, એ ઓછું નથી. મને લાગે છે, એમાં મારી કલમની મહત્તાને બદલે એ જીવન સાથે જડાયેલા રાખવાની પાત્રોની જીવન્ત અભુતતા છે. કર્મશર ને ધર્મશ્ર રોહિણેય, અલબેલી મેતરાણું વિરૂપા, છેલ છબીલો માતંગ, નૃત્યકુશળ દેવદત્તા, પ્રબલ પરાક્રમી મગધેશ્વર ને બુદ્ધિનિધાન મહામંત્રી અભયઃ આ પાત્રો તે કેઈકુશળ શિપીને હાથે કંડોરાવાને ગ્યા છે, અને સાચો ક્રાન્તિદીપ પેટાવનાર જ્ઞાતપુત્ર મહાવીરના જ્ઞાનબલ ને તબલપૂર્ણ જીવનને તે કઈ સંજીવની કલમને સ્પર્શ કરાવવાની વાર છે. પણ શેકની વાત એ છે કે સંપ્રદાયજડતાએ આ વાત કોઈને સૂઝવા દીધી નથી, કોઈને સૂઝી છે તે સર્જવાની એને તમા નથી. અને એનું જ આજે પરિણામ આવ્યું છે કે વિવેચક સારા કે નરસા