________________ 80 મહષિ મેતારજ કેટલીય નવવધુઓએ મૂછાળા પતિઓની મૂછના કાતરા ખેંચીને કહ્યું હતું: “પતિદેવ, આજે તમારું પાણી જેવાની છું. રોજ મેટી મેટી ડંફાસ મારો છે, તે આજ ધાડ મારજો! મારી સખીઓમાં મારે શરમાવું ન પડે તેવું કરજે!” આખા નગરમાં ઉત્સવ જેવો આનંદ હતું. વર્ષમાં બેએકવાર આવા મેળાઓ યોજાતા. આખી પ્રજા અભિન્નભાવે એમાં રસ લેતી. લે કેનાં ટોળાંમાંથી સહેજ દૂર દૂર રહીને ચાલતાં ધણીધણિયાણી ક્રીડાક્ષેત્ર પર પહોંચ્યાં ત્યારે ક્ષેત્રમાં શરતમાં ઉતરનાર અશ્વારોહીઓ આવીને સજજ થઈ ઊભા રહી ગયા હતા. “એ રહ્યો માર લાલ! મેતારજ ! હજારમાંથી હું તે - ળખી કાઢું.” વિરૂપાથી એકદમ બેલાઈ ગયું. ઘેલી થઈ ગઈ કે શું? જરા સંભાળીને બેલ ! કોણ તારે લાલ ! રાજગૃહીને કોઈ શ્રેષ્ઠિ સાંભળશે તે તારી જીવતી ખાલ ઉતરાવી નાખશે !" અરે ભૂલી, પણ તું જેતે નથી? પેલો, પણે, રાજકુમારની પંક્તિના છેડે, છેલ્લાથી ત્રીજે ! તમયૂર અશ્વપર આરૂઢ થયેલ ! જે, બરાબર છે. રાજકુમારની કાંતિ એના મોં પર વિલસી રહી છે. પણ હવે એની ચર્ચા છોડી દે! એને અને આપણને !" “મારી તે પ્રાણપ્રિય સખીને પુત્ર ! તને ખબર છે, મેં જ એનું નામ મેતારજ પાડ્યું છે. મને વહાલ કાં ન આવે!” હા, હા, પણ બરાબર લક્ષ આપીને જે! શરતનો પ્રારંભ થાય છે, શીઘ્રગતિની શરતને સંકેત થયો છે. બધા અ સીધી દિશામાં જેટલી ઝડપથી જવાય તેટલી ઝડપથી દોડશે !"