SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ 3. રોગરહિત 4. સ્વદરહિત અને 5. નિર્મલ આ પાંચે વિશેષણોને આપણે ક્રમશઃ વિચારીશું. 1. અભુત રૂપવાળું શરીર : અભુત એટલે લોકોત્તર. શ્રી તીર્થકર ભગવંતના શરીરનું રૂપ લોકાતર હોય છે, એટલે કે શ્રી તીર્થકર ભગવંતનું રૂપ લોકમાં સૌથી ઉત્તમ હોય છે. ભગવંતના જેવું રૂપ સંપૂર્ણ જગતમાં બીજા કોઈનું પણ હોતું નથી. લોકપ્રકાશમાં કહ્યું છે કે - જગતમાં પ્રથમ નંબરનું રૂપ શ્રી તીર્થકર ભગવંતનું બીજા નંબરનું રૂપ શ્રી ગણધર ભગવંતનું, ત્રીજા નંબરનું રૂપ આહારક શરીરવાળાનું અને ચોથા નંબરનું રૂપ અનુત્તર વિમાનવાસી દેવતાનું હોય છે, તે પછી અનુક્રમે ઊતરતું રૂપ ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ અને મહામાંડલિક રાજાઓનું હોય છે. તે પછી ઊતરતું રૂપ બીજા રાજાઓ વગેરેનું હોય છે. તાત્પર્ય કે - બીજા રૂપવાળાઓ કરતાં જેમનું રૂપ અનંતગણ અધિક છે, એવા અત્તર વિમાનના દેવતાઓ કરતાં અનંતગુણ અધિક રૂપ આહારક શીરીનું, આહારક શરી . કરતાં અનંતગુણ અધિક રૂપ ગણધર ભગવંતનું અને ગણધર ભગવંત કરો અનંત ગર અધિક રૂપ શ્રી તીર્થકર ભગવંતનું હોય છે. બીજી રીતે કહેવામાં આવે તો શ્રી તીર્થકર ભગવંત કરતાં અનંત ગાડીનું રૂપ છે ગણધર ભગવંતનું હોય છે. તેથી અનંત ગુણહીન રૂપ આહારક શરીરીનું હોય છે. તેથી અનંત ગુણહીન રૂપ અનુત્તર વિમાનવાસી દેવનું હોય છે, તેથી અનંત ગુણહીન રૂપ અનુક્રમે બીજા દેવતાઓ વગેરેનું હોય છે. દેવતાઓની રૂપ વિક્ર્વવાની શક્તિ અભુત હોય છે. તેઓ ધારે તે રૂપ વિફર્વી શકે, પણ ભગવંત સમાન રૂપ તેઓ કદાપિ વિકવી શકે નહીં જ્યારે તેની રૂપને વિદુર્વવાની શક્તિમાં ભગવંતનો અતિશય (પ્રભાવ) ભળે ત્યારે તેઓ ભગવંત જેવું જ રૂપ વિકર્વી શકે. 1. લોક પ્ર. કા. લા. સ. 30, પૃ. 304. 2. કોડી દવ મિલકે કરે ન સકે, એક અંગૂઠ રૂપ પ્રતિછંદ; એસા અદભુત રૂપ તિહારો, બરસત માનું અમૃત કો બુંદ. ઉપા. શ્રી યશોવિજયજી કૃત શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ સ્તવન સિદ્ધા. સ્ત, પૃ. 243. અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy