SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ છે, પણ તે સ્તુતિરૂપે હોવાથી તેને પરિશિષ્ટમાં લીધેલ છે. શ્રી જિનશાસનમાં શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર, લોકપ્રકાશ, પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રંથો પદાર્થસંગ્રહની દૃષ્ટિએ અજોડ ગ્રંથો છે. તેમાં આઠ મહાપ્રાતિહાર્યોના વર્ણનમાં શ્રી પ્રવચનસારોદ્વાર પોતાની આગવી વિશેષતા ધરાવે છે. એ આકરગ્રંથમાં અનેક પદાર્થોને વિષયવાર નિરૂપવા માટે સ્વતંત્ર દ્વારો છે. તેમાંથી ૩૯મા દ્વારમાં આઠ મહાપ્રાતિહાર્યોનું વર્ણન છે. તેમાં એક જ ગાથામાં આઠેઆઠ પ્રાતિહાર્યોને આગમિક પ્રાકૃત શૈલીમાં આ રીતે રજૂ કરવામાં આવ્યા છે : कंकिल्लि कुसुमवुट्ठी, देवज्झुणि चामराऽऽसणाइं च / भावलय भेरि छत्तं, जयंति जिणपाडिहेराई / / આ વિષયમાં શાસ્ત્રોમાં સંસ્કૃત ગાથા આ રીતે મળે છે : अशोकवृक्षः सुरपुष्पवृष्टिः, दिव्यध्वनिश्चामरमासनं च, भामण्डलं दुन्दुभिरातपत्र, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् / / પ્રાતિહાર્ય શબ્દની વ્યાખ્યા કરતાં પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે કે : प्रतिहारा इव प्रतिहाराः सुरपतिनियुक्ता देवास्तेषां कर्माणि-कृत्यानि प्रातिहार्याणि / / દેવેન્દ્ર નિયુક્ત કરેલા જે દેવતાઓ પ્રતિહાર-સેવકનું કામ કરે છે, તેઓને ભગવંતના પ્રતિહાર (સેવક) કહેવામાં આવે છે. તેઓ દ્વારા ભગવંતની ભક્તિ નિમિત્તે નિર્મિત કરાયેલ અશોકવૃક્ષ વગેરેને પ્રાતિહાર્ય કહેવામાં આવે છે. પ્રતિહાર શબ્દનો અર્થ કરતાં કહ્યું છે કે - પ્રત્યે હરતિ સ્વામિપાર્ષમાનતિ (પ્રતિ + 8 + 1) દરેકને સ્વામી પાસે લઈ આવે તે પ્રતિહાર, દ્વારપાળ, બારણાં આગળ પહેરો ભરનાર, બારણાંનો રક્ષક. 1. ગાથા-૪૪૦. અર્થ : અશોક વૃક્ષ, કુસુમવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ અને છત્રત્રય એ જિન પ્રાતિહાર્યો સંદા જય પામે છે. 2. આ ગાથાનો અર્થ સરલ છે. આતપત્ર એટલે છત્ર. લોકપ્રકાશમાં શ્લોક આ રીતે મળે છે : अशोकद्रुः पुष्पराशिः सद्ध्वनिश्चामरासने / . છત્ર સામાનં મેરી પ્રાતિહાર્યા રાય: - સ. 30, પૃ. 311 66 અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy