SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ तत्र प्रथम ज्ञानातिशय का स्वरूप कहते हैं / केवलज्ञान, केवलदर्शन करी भूत, भविष्य वर्तमानकाल में जो सामान्य विशेषात्मक वस्तु है, तिसको तथा 'उत्पादव्ययध्रौव्ययुक्तं सत्' - तिकाल सम्बन्धी जो सत् वस्तु का जानना तिसका नाम ज्ञानातिशय है / दूजा वचनातिशय - तिसमें भगवंत का वचन पैंतीस अतिशय करी संयुक्त होता है / ... तीसरा अपायापगमातिशय-एतावता उपद्रव निवारक है / और चौथा पूजातिशय अर्थात् भगवान तीन लोक के पूजनीक / इन दोनों अतिशयों के विस्तार रूप चौंतीस अतिशय हैं / સર્વ સ્થળોમાં અરિહંત ભગવંતના મુખ્ય ગુણો તરીકે અતિશય અને પ્રાતિહાર્યો જ લેવામાં આવ્યા છે. દા.ત. શ્રી સિદ્ધચક્ર યંત્રોદ્ધાર પૂજનવિધિમાં નવપદોના પૂજનમાં દરેક પદનું વિશિષ્ટ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. ત્યાં અરિહંત પદ વિશે કહ્યું છે કે - ____ॐ ह्रीं सप्रातिहातिशयशालिभ्यः अर्हद्भ्यो नमः / પ્રાતિહાર્યો અને અતિશયોથી શોભતા અરિહંતોને નમસ્કાર. પ્રતિમાઓની અંદર પણ જે પરિકર સહિત પ્રતિમાઓ હોય છે, તે અરિહંત અવસ્થાની પ્રતિમાઓ કહેવાય છે અને પરિકર રહિત જે પ્રતિમાઓ હોય છે, તે સિદ્ધ અવસ્થાની પ્રતિમાઓ કહેવાય છે. પ્રાયઃ બધા જ પરિકરોની કોતરણીમાં આઠેય પ્રાતિહાર્યો દર્શાવવામાં આવેલા હોય છે. એ પ્રાતિહાર્યો જ સૂચવે છે કે આ અરિહંત અવસ્થાની પ્રતિમા છે. આ રીતે શ્રી અરિહંતના 12 ગુણોમાં આઠ પ્રાતિહાર્યોને સર્વ પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આઠ પ્રાતિહાર્યોનું વર્ણન શ્રી અભિધાનચિંતામણિમાં ક્રમશઃ ન હોવાથી અને શ્રી નેમિચંદ્રસૂરિના રચિત પ્રવચન સારોદ્ધાર અને શ્રી દેવભદ્રસૂરિના શિષ્ય શ્રી સિદ્ધસેનસૂરિ કૃત તત્ત્વવિકાશિની નામની પ્રવચન સારોદ્ધારની ટીકામાં આઠ મહાપ્રાતિહાર્યોનું વર્ણન વિશદ હોવાથી એ બે ગ્રંથોને આધારે અહીં વર્ણન કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે બીજા ગ્રંથોમાં આવતી એ વિષયની વિશેષતાઓ પણ સંકલિત કરી લેવામાં આવી છે. જો કે શ્રી વીતરાગસ્તવના પ્રકાશ પાંચમામાં પ્રાતિહાર્યોનું ક્રમશઃ વર્ણન 1. અહીં વાણીના 35 અતિશયોનું વર્ણન છે, તે દ્વિતીય કર્મક્ષયજ અતિશયમાં આપેલ વર્ણન મુજબ જાણવું. 2. અહીં છેલ્લા બે મૂલાતિશયોમાં 34 અતિશયોનો સમાવેશ કરેલ છે. (પૃ. 79) 3. આ પછી જેન તત્ત્વાદર્શમાં 34 અતિશયો સંક્ષેપમાં લખ્યા છે. અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy