SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવંતની જે અતિદિવ્ય ઋદ્ધિ સમવસરણમાં હતી, તેવી બીજા બધા જ ધર્મોના નાયકોની એકત્રિત પણ ક્યાંથી હોય? અંધકારનો સંપૂર્ણ નાશ કરનારી જેવી પ્રભા સૂર્યની હોય છે તેવી પ્રભા બાકીના બધા જ ગ્રહોની કોઈ પણ સમયે ક્યાંથી હોઈ શકે ? ભક્તામરકારની આ ગાથામાં અન્ય ધર્મકારોની ઋદ્ધિ વિશે દયાનો ભાવ છે. જેમ સૂર્યના તેજને અને ગ્રહોના તેજને એકીસાથે બુદ્ધિતુલામાં આરોપનાર ગ્રહોના તેજ ઉપર દયાભાવવાળો થાય, તેમ અહીં પણ છે. અહીં અન્ય ધર્મકારોની ઋદ્ધિનો તિરસ્કાર નથી પણ દયા છે. ભગવંતના જ્ઞાનના અને અન્ય ધર્મકારોના જ્ઞાનના વિષયમાં પણ ભક્તામર સ્તોત્રમાં કહ્યું છે કે : तेजः स्फुरन्मणिषु याति यथा महत्त्वं / नैवं तु काचशकले किरणाकुलेऽपि / / 20 / / વજરત્ન, વૈર્યરત્ન, પારાગરત્ન વગેરે રત્નોના સમૂહ ઉપર નાચતું સૂર્યનું તેજકિરણ જે મહાન શોભાને પ્રાપ્ત કરે છે, તે જ તેજકિરણ કિરણોથી વ્યાપ્ત (ચમકતા) કાચના ટુકડા વિશે ક્યાંથી શોભાને પ્રાપ્ત થાય ! ભગવાન તીર્થકર તે રત્નોના સમૂહ છે અને બીજા બધા જ ધર્મકારો મળીને પણ કાચનો ફક્ત એક જ ટુકડો ! ક્યાં ભગવાનનું સંપૂર્ણ લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન એને ક્યાં બીજાઓનું ફક્ત પોતાના આત્માનું પણ અસંપૂર્ણ અને અસત્ય જ્ઞાન! બીજા ધર્મકારોની વાત તો જવા દઈએ પણ આપણા જ કેવલીનું જ્ઞાન પણ સંપૂર્ણ હોવા છતાં અતિશય નથી, જ્યારે ભગવંતનું જ્ઞાન જ્ઞાનાતિશય છે. પાંચ પ્રકારના અનુત્તર દેવતાઓના તત્ત્વજ્ઞાન વિશેના સંશયો ભગવાન જ્ઞાનાતિશયથી દૂર કરે છે. ભગવંતના સમીપમાં આવેલા બધા જ જીવોના સંશયો એકી સાથે છેદાઈ જાય છે, એ જ્ઞાનાતિશય છે.' સંશયછેદનનું આવું સામર્થ્ય સામાન્ય કેવલીઓમાં તેમ જ સિદ્ધ ભગવંતોમાં પણ હોતું નથી. ખુદ તીર્થકર ભગવાન પણ સિદ્ધ થઈ ગયા પછી જ્ઞાનાતિશયથી રહિત હોય છે. 1. જ્ઞાનાતિશયે ભવ્યના રે, સંશય છેદનહાર; દેવ ના તિરિ સમજીયા રે, વચનાતિશય વિચાર રે. ભવિયા. 3. ચાર ઘને મઘવા સ્તરે, પૂજાતિશય મહંત; પાંચ ઘને યોજન ટળે રે, કષ્ટ એ તુર્ય પ્રસંત રે. ભવિયા. 4. - સિદ્ધા. સ્વ. શ્રી વીરજવિજયજી કૃત આદિ જિન સ્તવન, ચાર ઘન એટલે 44444=44. મઘવા=ઇદ્ર. ચોસઠ ઇંદ્રો ભગવંતના જન્માદિ સમયે ભક્તિ કરે છે. તે ભગવંતની પૂજાતિશય છે. પાંચ ઘન એટલે 2x545=125. ભગવંતની આજુબાજુના 125 યોજના ક્ષેત્રમાં દુષ્કાળ વગેરે સર્વ કષ્ટો પ્રશાંત થઈ જાય છે, શમી જાય છે, એ ભગવંતનો તુર્થ એટલે ચોથો અપાયાપગમાતિશય છે. અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy