________________ શ્રી ઋષભદેવ પ્રભુનું સ્તવન (મૂલાતિશયો) જ્ઞાનરયણ ૨યણાયરુ રે, સ્વામી શ્રી ઋષભજિ ણંદ, ઉપગારી અરિહા પ્રભુ રે, લોક લોકોત્તરાનંદ રે; ભવિયા ભાવે ભજો ભગવંત, મહિમા અતુલ અનંત રે. ભ. 1. તિગ તિગ આરક સાગરુ રે, કોડા કોડી અઢાર, યુગલાધર્મ નિવારીયો રે, ધર્મ પ્રવર્તનહાર રે. ભ. 2 જ્ઞાનાતિશયે ભવ્યના રે, સંશય છેદનહાર, દેવનરતિરિ સમજીયા રે, વચનાતિશય વિચાર રે. ભ. 3 ચાર ઘને મળવા સ્તવે રે, પૂજાતિશય મહંત; પાંચ ઘને યોજન ટકે રે, કષ્ટ એ સૂર્ય પ્રસંત રે. ભ. 4 યોગક્ષેમંકર જિનવર રે, ઉપશમ ગંગાનીર, પ્રીતિ ભક્તિ પણે કરી રે, નિત્ય નમે શુભ વીર રે. ભ. 5 નમિનાથ થાય ચોત્રીશ અતિશય પાંત્રીશ જાણો વાણીના ગુણ છાજે જી, આઠ પ્રાતિહાર જ નિરંતર તેહને પાસે બિરાજે છે; જાસ વિહારે દશદિશિ કેરા ઇતિ ઉપદ્રવ ભાંજે જી, તે અરિહંત સકલ ગુણ ભરિયા, વાંછિત દેઈ નિવાજે જી. 2 અરિહંતના અતિશયો 253