________________ પાર્શ્વનાથ જિન સ્તવન (પ્રાતિહાર્યો) જિનજી ત્રેવીસમો જિન પાસ. આશ મુજ પૂરવે લો, માહરા નાથજી રે લો. જિન. ઈહભવ પરભવ દુઃખ, દોહગ સવિ ગુરવે લો, માહ. જિન. આઠ પ્રાતિહાર્યશું, જગતમાં તું જ્યારે લો, માહ૦ જિન. તાહરા વૃક્ષ અશોકથી, શોક દૂરે ગયો રે લો, માહ જિન. 1 જાનુ પ્રમાણ ગીર્વાણ, કુસુમવૃષ્ટિ કરે રે લો, માહ. જિન. દિવ્યધ્વનિ સુર પૂરે કે, વાંસલીયે સ્વરે રે લો, માહ, જિન. ચામર કેરી હાર ચલંતી, એમ કહે રે લો, માહ, જિન. જે નમે અમ પરે તે ભવિ, ઊર્ધ્વગતિ લહે રે લો, માહ, જિન. 2 પાદપીઠ સિંહાસન, વ્યંતર વિરચિયે રે લો, માહ, જિન. તિહાં બેસી જિનરાજ, ભવિક દેશના દિયે રે લો, મા. જિન. ભામંડળ શિર પૂંઠ, સૂર્ય પરે તપે રે લો, માહ, જિન. નિરખી હરખે જેહ, તેહનાં પાતક ખપે રે લો, માહ જિન. 3 દેવદુંદુભિનો નાદ, ગંભીર ગાજે ઘણો રે લો, માહ, જિને. ત્રણ છત્ર કહે તુજ કે, ત્રિભુવન પતિ પણો રે લો, માહ જિને. એ ઠકુરાઈ તુજ કે, બીજે નવિ ઘટે રે લો, માહજિને. રાગી વૈષી દેવ કે, તે ભવમાં અટે રે લો, માહ, જિને. 4 પૂજક નિંદક હોય કે, તાહરે સમપણે રે લો, માહ, જિને. કમઠ ધરણપતિ ઉપર, સમચિત્ત તું ગણે રે લો, મા. જિને. પણ ઉત્તમ તુજ પાદ, પદ્મ સેવા કરે રે લો, માહ જિને. તેહ સ્વભાવે ભવ્ય કે, ભવ સાયર તરે રે લો, માહ જિને. 5 રાપર અરિહંતના અતિશયો