SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ 16. ધર્મચક્રનું ફરવું. 17. ચામરનું વીંઝાવું. 18. પાદપીઠ સહિત સિંહાસનનું ચાલવું. 19. ત્રણ છત્રોનું ધારણ થવું. 20. રત્નમય ધર્મધ્વજનું આગળ આગળ ચાલવું. 21. સ્વર્ણકમલની રચના થવી. 22. સમવસરણની આસપાસ ત્રણ પ્રકારના ગઢો રચવા. 23. ઉપદેશ સમયે જુદી જુદી ચાર દિશામાં પ્રભુનાં ચાર મુખો દેખાવાં. 24. અશોક વૃક્ષની રચના થવી. 25. માર્ગમાં રહેલા કાંટાઓનું અધોમુખ થવું. 23. વૃક્ષોએ ડાળીઓ ઝુકાવીને નમન કરવું. 27. દેવદુંદુભિનું વાગવું. 28. સંવર્તક જાતિના પવનનું વહેવું (કે જે કચરો આદિ દૂર કરીને સર્વને સુખદાયક થાય છે.) 29. પક્ષીઓ વડે પ્રદક્ષિણા થવી. 30. ગંધોદકની વૃષ્ટિ થવી. 31. પંચરંગી દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થવી. 32. શ્રી તીર્થંકરદેવના મસ્તકના કેશ, દાઢી, મૂછ તથા હાથ-પગના નખોની વૃદ્ધિ ન થવી. 33. કરોડો દેવોનું સમીપમાં રહેવું. 34. ઋતુઓ અનુકૂલ મનોહર બનવી. આ ઓગણીશ અતિશયો દેવતાકૃત હોય છે. (અતિશયોની આ ગણના શ્રી હેમચંદ્રાચાર્યકૃત અભિયાન ચિંતામણિના આધારે આપેલી છે.) 1. જઘન્યથી એક કરોડ દેવતાઓ ભગવંતની સેવામાં સદા ભક્તિપૂર્વક સમુપસ્થિત હોય છે. અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy