________________ પરિશિષ્ટ-૧૦ શ્રી પ્રતિક્રમણસૂત્ર-પ્રબોધટીકા | (ભાગ-૧) લે. ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ, વિલે પારલે, મુંબઈ. પૃ. 13/15 34 અતિશયો 1. લોકોત્તર અદ્ભુત સ્વરૂપવાન દેહ. 2. સુગંધિત શ્વાસોચ્છવાસ. 3. માંસ અને રુધિરની દૂધની માફક સ્વૈતતા. 4. આહાર અને નીહારનું ચર્મચક્ષુઓવાળા માટે અદેયપણું. 5. સમવસરણની રચના. 6. અર્થગંભીર વાણી. 7. ભાષાની સર્વદેશીયતા. 8. આસપાસના વિસ્તારમાંથી જ્વરાદિ રોગોનો નાશ. 9. પરસ્પરના વેરની શાંતિ. 10. પાકનો નાશ કરનારી તીડ વગેરે ઇતિનો અભાવ. 11. ઉપદ્રવોનો વિરામ. 12. અતિવૃષ્ટિની અનુત્પત્તિ. 13. અનાવૃષ્ટિની અનુત્પત્તિ. 14. દુષ્કાળની અનુત્પત્તિ. 15. સ્વચક્રભય અને પરચક્રભયનો અસંભવ. આ અગિયાર અતિશયો જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયને લીધે ઉત્પન્ન થાય છે. 234 અરિહંતના અતિશયો