SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ એક યોજન પ્રમાણ એવી પણ ધર્મદેશનાની ભૂમિમાં પોતપોતાના પરિવાર સહિત ક્રોડો તિર્યંચો, મનુષ્યો અને દેવતાઓ સમાઈ જાય છે. तेषामेव स्वस्वभाषापरिणाममनोहरम् / अप्येकरूपं वचनं, यत्ते धर्मावबोधकृत् / / 3 / / પોતપોતાની (તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓની) ભાષામાં પરિણામ પામી જવાવાળું હોવાથી મનોહર તેમ જ એકસરખું પણ આપનું વચન તેઓને ધર્મનું બોધ કરાવનારું થાય છે. साग्रेऽपि योजनशते, पूर्वोत्पन्नाः गदाम्बुदाः / यदञ्जसा विलीयन्ते, त्वद्विहारानिलोमिभिः / / 4 / / આપના વિહારરૂપી પવનની લહરીઓ વડે સવાસો જોજનમાં પૂર્વે ઉત્પન્ન થયેલા રોગરૂપી વાદળાં તત્કાળ વિવાય પામી જાય છે. नाविर्भवन्ति यद्भूमौ, मूषकाः शलभाः शुकाः / क्षणेन क्षितिपक्षिप्ता, अनीतय इवेतयः / / 5 / / રાજાઓ વડે દૂર કરાયેલી અનીતિઓની જેમ સવાસો યોજનમાં ઉદર, તીડ અને પોપટ વગરના ધાન્ય વિશેના ઉપદ્રવો ક્ષણ વારમાં નાશ પામે છે અને નવા ઉત્પન્ન પણ થતા નથી. स्त्रीक्षेत्रपद्रादिभवो यद् वैराग्निः प्रशाम्यति / त्वत्कृपापुष्करावर्त्तवर्षादिव भुवस्तले / / 6 / / આપની કૃપારૂપી પુષ્પરાવર્ત સંઘની વૃષ્ટિથી જ જાણે નહિ, તેમ સવાસો યોજનમાં સ્ત્રી, ક્ષેત્ર અને નગરાદિ નિમિત્ત ઉત્પન્ન થયેલ વૈરરૂપી અગ્નિ શમી જાય છે. त्वत्प्रभावे भुवि भ्राम्यत्यशिवोच्छेदडिण्डिमे / सम्भवन्ति न यन्नाथ ! मारयो भुवनारयः / / 7 / / હે નાથ ! અકલ્યાણનો ઉચ્છેદ કરવા માટે ડિડિમનાદ સમાન આપનો પ્રભાવ ભૂમિ ઉપર ફેલાયે છતે જગતના શત્રુ મારી મરકી વગેરે ઉપદ્રવી ઉત્પન્ન થતા નથી. कामवर्षिणि लोकानां, त्वयि विश्वकवत्सले / अतिवृष्टिरवृष्टिा , भवेद्यन्नोपतापकृत् / / 8 / / લોકોના ઇછિતને વરસાવનાર, વિશ્વમાં અદ્વિતીય વત્સલ એવા આપ વિદ્યમાન છતે ઉપતાપને કરનાર અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થતી નથી. स्वराष्ट्र-परराष्ट्रेभ्यो, यत्क्षुद्रोपद्रवा द्रुतम् / विद्रवन्ति त्वत्प्रभावात्, सिंहनादादिव द्विपाः / / 9 / / અરિહંતના અતિશયો 283
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy