________________ દર્પણના મધ્યમાં પ્રતિબિંબિત થયેલા પ્રતિબિબની જેમ સ્વચ્છ એવા આપમાં, શરીરથી ઝરતા પરસેવાથી પીગળી જવાપણાની વાત પણ ક્યાંથી હોઈ શકે ? न केवलं रागमुक्तं, वीतराग ! मनस्तव / वपुःस्थितं रक्तमपि, क्षीरधारासहोदरम् / / 5 / / હે વીતરાગ ! કેવલ આપનું મન રાગરહિત છે, એમ નથી. આપના શરીરમાં રહેલું રૂધિર પણ દૂધની ધારા જેવું ઉજ્વલ છે. जगद्विलक्षणं किं वा, तवान्यद्वक्तुमीश्महे / વિરમવામાં, શુષં માંસપ પ્રમો ! સાદ્દા અથવા તે વિભો ! જગતથી વિલક્ષણ એવું આપનું બીજું કેટલું વર્ણન કરવા અમે શક્તિમાન થઈ શકીએ ? કારણ કે આપનું માંસ પણ દુર્ગધ વિનાનું, દુર્ગછા ન કરાવે તેવું અને ઉજ્વલ છે. जलस्थलसमुद्भूताः, संत्यज्य सुमनःस्रजः / तव नि:श्वाससौरभ्यमनुयान्ति मधुव्रताः / / 7 / / પાણી અને પૃથ્વી પર ઉત્પન્ન થયેલાં પુષ્પોની માળાનો ત્યાગ કરીને ભ્રમરો આપના નિઃશ્વાસની સુગંધ લેવા માટે આપની પાછળ ભમે છે. लोकोत्तरचमत्कारकरी तव भवस्थितिः / यतो नाहारनीहारौ, गोचरश्चर्मचक्षुषाम् / / 8 / / આપની ભવસ્થિતિ લોકોત્તર ચમત્કાર (અપૂર્વ આશ્ચર્ય)ને પેદા કરનારી છે, કારણ કે આપના આહાર અને નીહાર ચર્મચક્ષુવાળાઓને દેખાતા નથી. પ્રકાશ-૩ કર્મક્ષયજાતિશયસ્તવ सर्वाभिमुख्यतो नाथ ! तीर्थकृन्नामकर्मजात् / सर्वथा सम्मुखीनस्त्वमानन्दयसि यत्प्रजाः / / 9 / / હે નાથ ! તીર્થકર નામકર્મથી ઉત્પન્ન થએલ ‘સર્વાભિમુખ્ય' નામના અતિશયથી સર્વથા સર્વ દિશાઓ સન્મુખ રહેલા આપ દેવો, મનુષ્યો વગેરે સર્વ પ્રજાને સર્વ પ્રકારે સુખ પમાડો છો. यद्योजनप्रमाणेऽपि, धर्मदेशनसद्मनि / संमान्ति कोटिशस्तिर्यग् नृदेवाः सपरिच्छदाः / / 2 / / 282 અરિહંતના અતિશયો