________________ લક્ષ્મીને વરે છે. એથી જ ભક્તામરકારે એ ચરણયુગલને માત્ર પવનને પતતા નાના' - ભવસમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓ માટે આલંબન તરવાનું સાધન કહ્યું છે અને કલ્યાણમંદિરકારે "સંસાર સાનિમળશેષનન્તપોતામાન -- સંસારસાગરમાં ડૂબતા સર્વ જીવો માટે નૌકાસમાન કહેલ છે. દેવકૃત સાતમો અતિશય ત્રણ ગઢ વાત્ર ચાર | ગા=મનોહર વાત્ર ત્રણ ગઢ હોય છે. સમવસરણમાં રત્નમય. સુવર્ણમય અને રજતમય એમ ત્રણ મનોહર ગઢ હોય છે. ભગવંતની નજીકનો સૌથી પ્રથમ રત્નોનો ગઢ વૈમાનિક દેવતાઓ બનાવે છે. તે પછીનો બીજો ગઢ જ્યોતિષી દેવતાઓ સુવર્ણનો બનાવે છે. તે પછીનો ત્રીજો ગઢ ભુવનપતિ દેવતાઓ રજત-ચાંદીનો બનાવે છે. પ્રથમ ગઢમાં જેવાં રત્નો હોય છે, તેવાં રત્નો જગતમાં અન્યત્ર ક્યાંય પણ હોતાં નથી. આમાંનું એક એક રત્ન પોતાની કાંતિ આદિ ગુણો વડે જગતનાં સર્વ રત્નોને જીતવા માટે સમર્થ હોય છે. એવી જ રીતે બીજા ગઢમાં જે સોનું હોય છે. તેના જેવું સોનું જગતમાં હોતું નથી. તે અત્યંત મનોહર હોય છે. એવી જ રીતે ત્રીજા ગઢમાં જે ચાંદી હોય છે, તે ઉત્તમ પ્રકારની ટ્વેતતા આદિ અનેક ગુણોથી સહિત હોય છે. તેની કાંતિ પણ અદ્ભુત હોય છે. તેવી ચાંદી જગતમાં અન્યત્ર હોતી નથી. એક બાજુ જગતની બધી જ ચાંદી મૂકીએ અને બીજી બાજુ ભગવંતના ત્રીજા ગઢની ચાંદી, તો ભગવંતના ગઢની ચાંદીનું મૂલ્ય બીજી બધી ચાંદી કરતાં અનંતગણું અધિક થાય. આવા ઉત્તમ ત્રણ વપ્ર-પ્રાકાર-ગઢ દેવતાઓ ભક્તિવશ રચે છે. શ્રી વીતરાગ સ્તવમાં કહ્યું છે કે "હે દેવ !ત્રણે ભુવનને રાગ-દ્વેષ-મોહરૂપ ત્રણે દોષોથી બચાવવા આપ પ્રવૃત્ત થયા છો, એ જોઈને જાણે ત્રણ પ્રકારના દેવતાઓએ ત્રણ ગઢ ન બનાવ્યા હોય !' શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિકૃતિ કલ્યાણમંદિરમાં કહ્યું છે કે - ગાથા-૧, 2. ગાથા-૧. અ. ચિ, કાં, 1 ગ્લો. 62. 4. પ્રવું. સારો. ટી. ગા. 447, ઉપ. પ્રા, ભાષા. વ્યા. 1 અને વી. સ. પ્ર. 4 ગ્લો. 5 અવ. 5. વી. સ્વ. પ્ર. 4, શ્લ. 4. 16 અરિહંતના અતિશયો