SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમાન આત્માઓ ભક્તિનાં પાત્ર માટે બધું જ કરી છૂટે છે. કોઈ સહેજ આગળ પડતો માણસ ઘરે આવે તોય લોકો ગાલીચા વગેરે પાથરે છે, તો પછી ત્રણ જગતના અગ્રેસર ભગવાન માટે દેવતાઓ સુવર્ણ-કમળો બનાવે. તેમાં કશું જ આશ્ચર્ય નથી. તે સર્વ જીવોને પણ ધન્ય છે કે જેઓએ સુવર્ણ કમળો પર પગ મૂકતા મૂકતા, ગણધરો, ઇન્દ્રો વગેરેથી સહિત એવા ભગવંતનો વિહાર જોયો હશે ! આવાં દશ્ય ફક્ત ભગવંતની વિદ્યમાનતામાં જ જોવા મળે અને તે માટે પણ મહાન સદ્ભાગ્ય જોઈએ. શ્રી ભક્તામર સ્તોત્રમાં ૩રમા પદ્ય રૂપે નવ સુવર્ણ કમળોને વર્ણવતી જે ગાથા છે, તે આ રીતે છે : उनिद्रहेमनवपंकजपुंजकांती' पर्युल्लसत्रखमयूखशिखाभिरामौ / पादो पदानि तव यत्र जिनेन्द्र ! धत्तः, पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति / / 32 / / આ ગાથાનો અર્થ પૂર્વે આ જ અતિશયના વર્ણનમાં આપેલ છે. આ ગાથા મંત્રપદોથી ગર્ભિત છે. તેની વિધિપૂર્વક આરાધના કરવાથી સુવર્ણ વગેરે ધાતુના વેપારમાં અત્યંત લાભ થાય છે, રાજસન્માન મળે છે અને વચન આદય થાય છે. સુવર્ણ કમળોથી ગર્ભિત ધ્યાનમાં જે જે શક્તિઓ છે તેમાંની થોડીક જ શક્તિઓનો અહીં ઉપર નિર્દેશ કરેલ છે. સુવર્ણ-કમળો પર નિહિત ભગવંતનાં ચરણ-યુગલનું ધ્યાન અનેક ભયહર સ્તોત્રોમાં આવે છે, તે ધ્યાનથી ગમે તેવા મોટામાં મોટા ભયો તત્કાળ દૂર થઈ જાય છે. આ વસ્તુની વિશેષ સમજણ માટે નમક સ્તોત્રનું અધ્યયન બહુ જ જરૂરી છે. તેમાં ફરી ફરી ભગવંતના ચરણયુગલનું જ ધ્યાન છે. આના પ્રભાવથી એ સ્તોત્રનું નામ મહાભયહર સ્તોત્ર પણ કહેવાય છે. મહાપ્રભાવિક નવ સ્મરણોમાંના નમઝા, માન અને અન્યામંદિર એ ત્રણ સ્તોત્રોના પ્રારંભમાં જ ભગવંતના ચરણ યુગલનું ધ્યાન છે. સુવર્ણ કમળો પર નિહિત ભગવંતનાં ચરણયુગલના પ્રભાવથી જીવને સંસારમાં ગમે તેવી આપત્તિમાંથી રક્ષણ મળે છે. મોહાંધકાર દૂર થાય છે. પાપોનો નાશ થાય છે, ભયમાં અભય મળે છે, સંપત્તિઓની પ્રાપ્તિ સ્વયં થાય છે અને જીવ અનુક્રમે મોક્ષ 1. અહીં પહેલા ચરણમાં શાંતી શબ્દમાં દીર્ઘ ની છે અને પ્રથમ ચરણ પારો નું સ્વતંત્ર વિશેષણ છે. જુઓ ભક્તા. સ્તો. ગુણા. પૃ. 34 ટિપ્પણી. અરિહંતના અતિશયો રુપ
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy