________________ કાળે આવી આજ્ઞાનું પાલન શક્ય જ નથી. આવી આજ્ઞા પ્રભુએ કેમ કરી? આના બદલે આમ કહેવું જરૂરી હતું. સર્વજ્ઞ ઉપર પોતાની સર્વોપરિતા સ્થાપનાર આવા લલ્લુ પંજુઓ શાસનના દ્રોહી છે. વિધ્વંસક છે. પ્રભુના વચન ઉપર કુવિકલ્પ કરનારા શાસનથી દૂર ધકેલાઈ જાય છે. શું કહ્યું છે? એના કરતા આ કોણે કહ્યું છે એ મહત્વનું છે. | તીર્થકર ભગવંતોએ કહ્યું, સર્વજ્ઞોએ કહ્યું, એમાં મીનમેખ અસત્ય હોઈ શકે જ નહીં. આવી દ્રઢ શ્રદ્ધા હોય તે જ ધર્મક્ષેત્રમાં પ્રવેશવાનો અધિકારી ...96..