________________ જન પ્રાયઃ તમારા સહનું મનગમતું બજાર એટલે શેરબજાર. શેરબજાર સારું કે ખરાબ ? એની ચર્ચામાં પડ્યા વિના શેરબજારમાં તમે જે સિદ્ધાંત મુજબ કામ કરો છો તે સિદ્ધાંત જો તમે જીંદગીની બજારમાં લાગુ પાડી દો તો ક્રોધનો નિગ્રહ કરવામાં સફળતા મળી જશે. શેરબજારમાં વેપાર ' કરનારો ત્રણ કાળજી કરતો હોય છે - (1) ઊઠી જનારી કંપનીના શેર ક્યારેય ખરીદતો નથી. (2) મંદીના સમયમાં તેજીના ભાવ પ્રમાણે શેર ક્યારેય ખરીદતો નથી. તેજીના સમયમાં જે શેરના ભાવ રૂા. પ૦૦ હોય તેના મંદીના સમયે રૂ. 50 જ ચૂકવે છે અથવા ખરીદતો જ નથી. ડીવીડન્ડ અને બોનસ જેના કદી સારા મળતા જ ન હોય તેના શેર લેવાનું પણ લગભગ ટાળે છે. આ મુખ્ય ત્રણ સિદ્ધાંતને જીવનમાં લાગુ પાડવા જેવા છે. તમારી સામે બે કંપની છે - (1) મોહરાજાની અને (2) ધર્મરાજાની. મોહરાજાની કંપનીના શેર તરીકે ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, દ્વેષ, વિશ્વાસઘાત, તિરસ્કાર વગેરે પાપો છે. ધર્મરાજાની