________________ થતા રહેશે. આપણે સહુએ પણ આ જ કામ કરવાનું છે. ગમે તેવું નાનું કે મોટું સંકટ આવે. પણ, આપણી પ્રસન્નતા અકબંધ ટકવી જોઈએ જ જોઈએ. દક્ષિણ ભારતના એક પ્રખ્યાત સંત તિરુવલ્લુવર ! આંધ્રપ્રદેશની અંદર તેમનો વસવાટ. જન્મથી અને કર્મથી એ વણકર હતા. સ્વભાવથી સંત હતા. અત્યંત શાંત પ્રકૃતિના એ સંત ! એ શાંત હતા માટે જ ખરા અર્થમાં સંત થઈ શક્યા હતા. જે શાંત રહી શકતો નથી, તે સાચો સંત થઈ શકતો નથી. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ શાંત રહેનારા સંત તરીકેની તેમની ખ્યાતિ ચોતરફ ફેલાયેલી હતી. ( ( 1 ) લોકો શ્રદ્ધા સાથે કહેતા કે - “સંત તિરુવલ્લુવર કદી ગુસ્સે થાય નહીં. કોઈ પણ વ્યક્તિ તેમને ગુસ્સે કરી શકે નહીં.” એક યુવાનને આ વાત ઉપર શ્રદ્ધા ન બેઠી. કોઈ પણ પરિસ્થિતિમાં માણસ શાંત રહી શકે છે - આ વાત તેના મગજમાં બેસતી જ ન હતી. તેણે પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેણે ગમે તેમ કરી સંત તિરુવલ્લુવરને ગુસ્સે કરવાનું નક્કી કર્યું. સંત પાસે તે યુવાન પહોંચી ગયો. સંત તિરુવલ્લુવરજી પ્રભુભજનમાં મસ્ત રહી જાતે ચાદર વણીને વેચતા હતા. એક સારી ક્વોલિટીની ચાદર હાથમાં લઈ તેનો ભાવ પૂછ્યો. સંતે જવાબ આપ્યો કે “ર રૂપિયા !" યુવાને ત્યાં ને ત્યાં એના બે ટુકડા કરી નાંખ્યા અને પૂછ્યું - હવે આનો ભાવ શું ? હકીકતે હવે એ ચાદરનું કાપડ નકામું થઈ ચૂક્યું હતું. છતાં એ યુવાનને સંતે શાંતિથી જવાબ આપ્યો, “ભાઈ ! હવે આ એક ટુકડાનો 1 રૂપિયો થશે.” યુવાને વધુ ટુકડા કર્યા. સંત કિંમત ઘટાડતા જ ગયા, ઘટાડતા જ ગયા. છેલ્વે સંતે કીધું કે - “દોસ્ત ! આટલી ભેટ મારા તરફથી સ્વીકારી લે. આ બધાં ટુકડા તું તારી પાસે જ રાખી લે. મસોતાના કામમાં કદાચ ઉપયોગી થશે !' છેક સુધી સંતને આટલા પ્રેમથી અને વાત્સલ્યથી વાત કરતા જોઈ યુવાન ગળગળો થઈ ગયો. ગુસ્સાની એક લહેરખી પણ સંતને સ્પર્શી ન હતી. મોઢાની, વાણીની કે કોઈ પણ વસ્તુની રેખા માત્ર બદલી ન હતી. માત્ર ને માત્ર પ્રસન્નતા જ જાણે 367