SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ આ વખતે ઉનાળામાં 48 ડીગ્રી ગરમી પડવાની છે. આ વાંચ્યું ત્યારથી થોડું ટેન્શન' થઈ ગયું છે !' ખુશનુમા વાતાવરણમાં પણ ભવિષ્યની ગરમીનો વિચાર કરી હાલમાં હાથવગી પ્રસન્નતાને જતી કરનાર માણસ કદાપિ સુખી થઈ શકે ખરો ? આવો માણસ શું પ્રસન્નતાને પામી શકે ખરો ? ના, એ શક્ય જ નથી. કારણ કે આ માણસને દુઃખી કરનાર એનું પોતાનું જ મન છે, કોઈ પરિસ્થિતિ નહીં. જો એનું મન પલટાય તો જ તે સુખી થઈ શકે તેવી શક્યતા છે. તમે દુઃખી થાઓ છો તેમાં તમે પોતે જ કારણ છો - આ વાત મગજમાં જડબેસલાક ફીટ કરી દેવા જેવી છે. માટે તમારે તમારા દુઃખોને દૂર કરવા તમારું પોતાનું મન બદલવાની જરૂરિયાત છે. સતત ફરિયાદ જ કરનારા આ મનને સમાધાનકારી વલણ અપનાવવાનું શીખવાડવું પડશે. તો જ એ પ્રસન્નતાને અનુભવી શકશે. એક વાત મગજમાં કોતરી રાખજો કે - “હું દુઃખી થાઉં છું તેમાં જવાબદાર એક માત્ર હું જ છું. જો હું મારી જાતને સમજાવી લઈશ તો કોઈ મને દુઃખી કરી શકશે નહીં. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને કાનમાં ઠોકાયેલા ખીલા પણ દુઃખી કરી ન શક્યા. જ્યારે તમને પગમાં વાગેલો એક કાંટો કે બોલાયેલા કડવા વેણ પણ દુઃખી કરી નાંખે છે. કારણ કે તમે જાતને સમાધાનકારી વલણ અપનાવવાનું શીખવાડ્યું જ નથી. ચોથા આરા કરતા પાંચમા આરામાં પણ હેમચંદ્રસૂરિ મહારાજ વધુ પ્રસન્ન રહી શક્યા. તેમના શબ્દો છે - સુષમતા ૩:૫માં પા , નવતી તવ મતલબ કે મહાવિદેહમાં કે ચોથા આરામાં દીક્ષા લીધા બાદ લાંબું સંયમજીવન પાળવાનું છે. કરોડો વર્ષના ત્યાંના સંયમજીવન દ્વારા જે પરિણામ મળે તે જ પરિણામ પાંચમા આરામાં 50-60 વર્ષના દીક્ષા જીવનને સારી રીતે પાળવા દ્વારા મળી જાય છે. તો પછી આ પાંચમો આરો જ પરમાત્માની કૃપાને પામવા સર્વશ્રેષ્ઠ ન કહેવાય ? આ છે સમાધાનકારી વલણ ! અહીં અત્યારે સીમંધરસ્વામી ૩ર૭
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy