SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રીને શોધવા માટે જ નીકળ્યા હતા. એ ટુકડી સાથે મંત્રી પોતાને મૂકીને રવાના થયેલા ભીલ લોકોનું પગેરું પકડી પકડી પલ્લી સુધી જઈ પહોંચ્યો. આ એક ટુકડીની વાજોવાજ, મંત્રીનો સંદેશો જવાથી બીજી ટુકડીઓ પણ આવી રહી હતી. વ્યવસ્થિત રીતે આખી પલ્લીને ઘેરી લીધી. ભીલ લોકોને જ્યારે ખબર પડી ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આખરે મંત્રીએ રાજાને સહીસલામત છોડાવી લીધો. સહુ આનંદ સાથે નગરમાં પાછા ફર્યા. રાજાએ મંત્રીનું સન્માન કરવાનું નક્કી કર્યું. સન્માન વખતે જ અચાનક રાજાની નજર મંત્રીજીની કપાયેલી આંગળી ઉપર પડી. રાજાને અફસોસ થઈ આવ્યો. એણે મંત્રીની માફી માંગી. ત્યારે મંત્રી એટલું જ બોલ્યો - “જે થાય તે આખી સભા બોલી ઉઠી - “સારા માટે !' રાજાને પણ આ સિદ્ધાંત ઉપર શ્રદ્ધા બેસી ગઈ. કડવી પરિસ્થિતિઓ સહેવા અપમાનના કડવા ઘૂંટડા ઉતારવા આ પોલિસી અજબનું નવનીત પીરસે છે. આ વાક્ય - “જે થાય તે સારા માટે !' - વારેવારે ઘંટો, કંઈ પણ અણગમતું થાય કે મનમાંથી સ્વાભાવિક રીતે જ આ વાક્ય પડઘાતું સંભળાય - એટલી હદે તેને આત્મસ્થ કરી લો. પછી, જુવો કે તે-તે પરિસ્થિતિમાં તમે મગજને શાંત રાખી શકો છો કે નહીં ? જો મંત્રીશ્વરની આંગળી કપાઈ તે પણ મંત્રીશ્વરને સારા માટે થઈ, તો તમારા જીવનમાં આવતા દુઃખદ પ્રસંગો શી ખબર છે કે સુખના સંદેશ લઈને નહીં આવ્યા હોય, ગર્ભિત રીતે તેમાં સુખના પડછાયા નહીં છૂપાયા હોય ? દુઃખને દુઃખ તરીકે જોશો તો તે તમને દુઃખી જ કરશે. પણ, જો તેને સુખના સંદેશવાહક તરીકે જોશો તો તે તમને સુખી જ કરશે. પાર્શ્વનાથ પરમાત્માને કમઠના ઉપસર્ગો ઉપસર્ગરૂપે નથી જણાતા, પણ કેવલજ્ઞાનના સાધન રૂપે જણાય છે. કારણ કે તે દરેક ઉપસર્ગે કેવલજ્ઞાન તેમને નજીક આવતું દેખાય છે, આત્મા ઉપરથી કર્મોનો ભાર હળવો થતો અનુભવાય છે. પાર્શ્વનાથ ભગવાને કમઠ પ્રત્યે લેશ પણ દુર્ભાવ ન રાખ્યો તો કમઠને પણ તે ક્ષમાના તરંગો આંદોલિત ર૯૪
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy