SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ હતું. કોઈ પણ વ્યક્તિ આવા સંજોગોમાં ગુસ્સે થયા વિના રહે જ નહીં. કમ સે કમ જમણવારમાંથી તો ચાલી જ જાય. પણ કાકાએ તો બિલકુલ ગુસ્સો કર્યો ન હતો. તેની અભિવ્યક્તિનું કોઈ કામ પણ કર્યું ન હતું. ત્રણ પંગતમાં પીરસીને કાકા ને કાકી છેલ્લી પંગતમાં જમવા બેઠાં. પણ ભત્રીજાને તો હજુ આકરી કસોટી કરવી હતી. એક કમંડલમાં રસોઈના બદલે પથરા ભરીને લઈ આવ્યો અને કાકા-કાકીના ભાણામાં એ પથરા જ પીરસી દીધાં. પળભર તો બધા જ સ્તબ્ધ થઈ ગયા. આવું અપમાન !? કાકા હમણાં જ આવેશમાં આવી જશે - એવું બધાને લાગ્યું. ભત્રીજાને પણ થયું કે હવે તો કાકા ગુસ્સે થઈને જ રહેશે. પણ કાકા તો એટલા ને એટલા જ શાંત હતા. એમણે તો જાણે કાંઈ જ થયું ન હોય તેમ કાકીને કીધું કે - “ભત્રીજો કેવી માર્મિક વાત કરે છે. આટલાં વર્ષો સુધી ગુસ્સો કરી કરીને આપણી જિંદગી પથરાં જેવી જ પસાર થઈ છે. જિંદગીના પાછલા આ વર્ષોમાં હવે તો ક્ષમાની કમાણી કરીએ ! કાકાના સાચા દિલથી બોલાયેલા આ શબ્દો સાંભળીને પળભર સૌ કાકાને નમી રહ્યા. કાકાએ ખરેખર શાંતિ છોડી ન હતી. ભત્રીજો પણ કાકાની આ હદની ક્ષમા જોઈને પીગળી ગયો. ભત્રીજો કાકાના ચરણમાં પડી ગયો અને કાકાની માફી માંગતા બોલ્યો કે - “કાકા ! ખરેખર આપની ક્ષમાને ધન્ય છે. મેં આપને ઘણાં હેરાન કર્યા. મને ક્ષમા કરો.” કાકાએ ભત્રીજા પાસેથી માન-સન્માન વગેરેની લેશ પણ અપેક્ષા રાખી નહીં. તેથી ક્ષમાને જાળવી શક્યા. અપેક્ષા એ જ દુઃખ છે. “અવિકખા અથાણંદ” જેટલી સામેવાળી વ્યક્તિ પાસેથી અપેક્ષા વધુ રાખશો તેટલું વધુ દુઃખી થવું પડશે. સામેવાળાના નબળા વ્યવહારને જોવાના બદલે જો પોતાના દોષો તરફ દૃષ્ટિને લઈ જશો તો ક્ષમા જાળવવી સરળ બનશે. સતત સ્વદોષદર્શનનું મેગ્નેટ અંદરમાં ફેરવે રાખો. તો જ પોતાની ગંભીર ભૂલો 267
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy