________________ ક્રોધ જાગે છે તેની પાછળ મૂળ કારણ મનમાં પ્રગટતું આર્તધ્યાન છે, વધુ પડતી અપેક્ષા છે, ઈચ્છાની અપૂર્તિ છે. કંઈક અપેક્ષા તૂટે કે તમને ગુસ્સો આવી જાય છે. કોઈક ઈચ્છા અપૂર્ણ રહે કે મગજ સાતમા આસમાને પહોંચી જાય છે. આ બધા કારણોને દૂર કરવા માટે આ પોલિસી આવે છે. અમદાવાદના માકુ શેઠ વ્યાખ્યાનમાં રોજ નિયમિત રીતે હાજર જ હોય. કોઈ દિવસ એમનું વ્યાખ્યાન ન છૂટે. એક દિવસ એ વ્યાખ્યાનમાં 0 કલાક મોડા આવ્યા. આચાર્ય મહારાજના મગજમાં આ વાત પકડાઈ ગઈ. કારણ કે માકુ શેઠ આચાર્ય મહારાજની બરાબર સામે જ બેસતા. અને આજે માકુ શેઠ પહેલા દેખાયા ન હતા. વ્યાખ્યાન બાદ રોજિંદા ક્રમ મુજબ માકુ શેઠ આચાર્ય મહારાજને વંદન કરવા આવ્યા. આચાર્ય મહારાજે પૂછ્યું કે, “કેમ ? આજે વ્યાખ્યાનમાં મોડા ?' ( 1 2 માકુ શેઠે જવાબ વાળ્યો કે - “મહેમાનને વળાવવા ગયો હતો. એટલે થોડું મોડું થઈ ગયું.” આચાર્ય મહારાજને નવાઈ લાગી. ફક્ત મહેમાનને વળાવવા 235