________________ કે રૂમાલ ચોરાઈ જાય છતાં તમે આર્તધ્યાન કર્યા વિના રહેતા નથી. તમે ભલે માનો કે પરિવાર, પત્ની, દુકાન, પૈસા વગેરે ઉપર મારી માલિકી છે. પણ, ખરી હકીકત એ છે કે એ બધાં તમારા માલિક બની બેઠા છે. પ્ર 2 5 એક ગોવાળ ગાયને દોરીને જઈ રહ્યો હતો. તેને જોઈ ગુરુએ પોતાના શિષ્યને પ્રશ્ન કર્યો - “બોલ ! આ બેમાં માલિક કોણ? ગાય કે ગોવાળ ?" શિષ્ય જવાબ વાળ્યો - ‘ગુરુદેવ ! એકદમ સ્પષ્ટ વાત છે કે ગાય એ ગુલામ અને ગોવાળ એ માલિક !" ગુરુદેવે પાછું પૂછ્યું - “પણ, કેવી રીતે ?' શિષ્ય કીધું - “જે પોતાની સ્વતંત્ર ઈચ્છા પ્રમાણે કામ કરી શકે તે માલિક. જે માલિક વગેરેની ઈચ્છા પ્રમાણે કામ કરે તે ગુલામ. ટૂંકમાં દોરે તે માલિક. દોરાય તે ગુલામ.” ગુરુદેવે પૂછયું - “પણ, પ્રસ્તુતમાં તે કેવી રીતે લાગુ પાડીશ?' જુઓ ! ગાય જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં ગોવાળ નથી જતો. પણ, ગોવાળ જ્યાં જાય છે ત્યાં ગાયને જવું પડે છે. મતલબ કે ગાય દોરાય છે. તેને દોરનાર ગોવાળ છે. જે દોરનાર હોય તે માલિક અને જે દોરાય તે ગુલામ. માટે, ગાય એ ગુલામ અને માલિક ગોવાળ.” શિષ્ય હજુ પોતાની વાત પૂરી કરે, ન કરે ત્યાં તો નજીક આવતા સંન્યાસીના ભગવા કપડા જોઈને ગાય ભડકી. અને અચાનક ગોવાળના હાથમાંથી દોરી એક ઝાટકે છોડાવી ભાગી. એ ગાયને ઝબ્બે કરવા ગોવાળ એની પાછળ ભાગ્યો. તે જોઈને ગુરુદેવે શિષ્યને વાત કરી - “જો વત્સ ! હવે કહે કે કોણ માલિક અને કોણ ગુલામ ? કોની પાછળ કોણ દોડે છે? ગાય જ્યાં જાય છે ત્યાં ગોવાળ જાય છે ? કે જ્યાં ગોવાળને લઈ જવી છે ત્યાં ગાય જાય છે ? માટે, તે જે ગુલામ અને માલિકની વ્યાખ્યા કરી તે મુજબ હવે ગાય માલિક, ગોવાળ ગુલામ. આ વાત - મગજમાં કોતરી રાખ કે જે મમત્વભાવવાળો છે, માલિકીનો દાવો રાખીને 225