SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ અનેક વાર અપમૃત્યુ મેળવવાની તૈયારી છે ! ઈચ્છું કે આ પુસ્તક વાંચનારના જીવનમાં તો આવી મૂર્ખતા ન જ આવે. નજર સામે અનંતા જન્મ-મરણની વેદના દેખાતી હોય, તેની સામે અપશબ્દની માનસિક વેદના શી વિસાતમાં ? શાસનની પ્રાપ્તિ પછી, સમજણની પ્રાપ્તિ પછી તો સ્વભાવ સુધારવાની સીઝન પૂરબહારમાં ખીલી ઉઠે છે. આ સીઝનમાં પ્રસાદ કરવા જેવો નથી. સંસારમાં સીઝન પોલિસીને સારી રીતે તમે અપનાવી છે. સીઝનના દિવસોમાં ઉજાગરા કરી કરીને વધારેમાં વધારે કમાઈ લેવાની ઘેલછા છે. તો પછી “સ્વભાવને સુધારવાની આ સીઝનમાં સામે ચાલીને વધારેમાં વધારે મારી નિંદા, અપશબ્દો સાંભળીને મારે ક્ષમાની કમાણી કરી લેવી છે' - આવી ઉદાત્ત ભાવના શા માટે નહીં ? શું હજુ પણ પિત્તળ પ્રકૃતિ છોડવાની કોઈ તૈયારી નથી ? શું હજુ પણ આ માનવભવને પામ્યા પછી પણ તરકડી અને તોછડી પ્રકૃતિના વિસર્જનની કોઈ તમન્ના જાગતી જ નથી ? જો આવી ઉત્તમ સામગ્રી મળ્યા પછી પણ * કોઈની નાનકડી ભૂલ ઉપર પણ મગજ તપી ઉઠતું હોય, * કોઈના બે વેણ સાંભળી તેને બાર વેણ સંભળાવી દેવાની વૃત્તિ જાગતી હોય, >> બતાવી દેવાની સંક્લિષ્ટ ચિત્તવૃત્તિ વારે તહેવાર નિર્માણ પામતી હોય તો માનવું જ રહ્યું કે, ખોળિયું માનવીનું છે. પણ અંદર કોઈક બીજું જ ભરાઈને બેઠું છે. એક સંત અત્યંત શાંત પ્રકૃતિના. પોતાના મઠમાં સતત ભગવાનના ભજનમાં લીન રહેવું - એ જ તેમનું જીવનકવન. કદી કોઈના ઉપર ગુસ્સો તેમણે કર્યો ન હતો. સંત સવારે આશ્રમના ઓટલા ઉપર બેસી ભજન ગાતા હોય ત્યારે રોજ એક ચંડાલ આવે. સંતને ગાળો ભાંડી ચાલ્યો જાય. ક્યારેક
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy