SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ તે હોસ્પિટલ અને ડોક્ટરો તો એકદમ સારામાં સારા હતા. તેમણે પોતાની રીતે પ્રયત્ન સારામાં સારો કર્યો હતો પણ...' અત્યાર સુધીમાં અનેક વાર પૂ. ભદ્રસૂરિ મહારાજને અણસાર મળી ગયો હતો કે કદાચ આ આંખ કદાપિ નહીં ખૂલે. એટલે એમણે તરત જ પૂ. ઓંકારસૂરિ મહારાજને વાત કરી - “ઓંકાર ! તારે એમ જ કહેવું છે ને કે ઓપરેશન ફેલ ગયું છે. માટે હવે હું કદાપિ જોઈ નહીં શકું.” “હા ગુરુદેવ !! - પૂ. ઓંકારસૂરિ મહારાજે વાત લંબાવવાના બદલે હા પાડવામાં જ ભલું જોયું. તરત જ એની એ પ્રસન્નતા સાથે પૂ. ભદ્રસૂરિ મહારાજે વાત કરી - “કાર ! આમાં આટલો બધો મેં ગે.... ફેં ફે.. કેમ થાય છે ? ખુલ્લી આંખે જ્ઞાનની આરાધના ઘણી કરી. હવે ભગવાન કહી રહ્યા છે - બંધ આંખે ધ્યાનની આરાધના કર. કર્મસત્તાની થાપણ જેવી આ બે આંખો એ કર્મસત્તા જ પાછી લઈ લે તેમાં હરખ-શોક શું?” પૂ. ઓકારસૂરિ મહારાજ તો પોતાના ગુરુદેવના અંતસ્તલમાંથી નીકળતા આ શબ્દો સાંભળી આશ્ચર્ય અને અહોભાવથી ઝૂકી પડ્યા. જો આ ગુરુદેવની જગ્યાએ કોઈ બીજો હોત તો નિરાશ થઈને જિંદગી હારી જાત. આંખ વિનાની જિંદગીની કલ્પના કરતા પણ કંપારી વછૂટે છે. જ્યારે ગુરુદેવે આ વાસ્તવિકતાને પણ ખૂબ જ પ્રસન્નતાના સાથે અત્યંત હળવાશથી લઈ લીધી” ખુલ્લી આંખે બહારની દુનિયા જોવા કરતાં બંધ આંખે અંદરની દુનિયા જોવામાં જેને વધુ આનંદ લાગે, તેના માટે જ આ કક્ષા શક્ય છે. છે આ પોલિસી આ જ કહી રહી છે કે - તમને મળેલ શરીર, આંખ, નાક, કાન વિગેરે પ ઈન્દ્રિય, મન, પરિવાર, પ્રતિષ્ઠા વગેરે બધું જ કર્મસત્તાની થાપણ છે. એને મન થાય ત્યાં સુધી તમારી પાસે રાખશે. મન થશે ત્યારે ઉપાડી લેશે. હા ! એ બધું હશે ત્યાં સુધી તમારું પુણ્ય તો ખવાય જ રાખશે. આમાનું કશું પણ તમારી માલિકીનું નથી. પણ, કર્મસત્તાની માલિકીનું છે. અત્યાર સુધી પુત્ર, પરિવાર, પ્રતિષ્ઠા, શરીર વગેરેને પોતાની માલિકીનું સમજી બેઠા છો. માટે, આમાનું એક પણ હs 7 વડ 219
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy