________________ કo આજથી પ્રાયઃ 50 વર્ષ પૂર્વેની ઘટના છે. આંખના ઓપરેશનો ત્યારે જોખમી રહેતા. આંખમાં પડેલી તકલીફના કારણે પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજને બન્ને આંખમાં ઓપરેશન કરાવવું અનિવાર્ય બન્યું. આખરે ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું. પણ, વિધિને મંજૂર હતું તે જ થયું. ડોક્ટર સારામાં સારા હોવા છતાં ઓપરેશન ફેલ ગયું. બન્ને આંખ ગુમાવવી પડી. હજુ ભદ્રસૂરિ મહારાજને આ અંગે ખબર નથી પડી. પણ, તેઓશ્રીના શિષ્યરત્ન આચાર્ય વિજય કારસૂરીશ્વરજી મહારાજને ડોક્ટરોએ કહી દીધું હતું. પૂ. ઓંકારસૂરિ મહારાજ આ જ મૂંઝવણમાં હતા કે ગુરુદેવને શી રીતે આ બાબતથી વાકેફ કરવા ? ગુરુદેવને આઘાત તો નહીં લાગે - ને એક દિવસ પૂ.ભદ્રસૂરિ મહારાજે જ પ્રશ્ન કર્યો કે “ઓંકાર ! આ 'પાટા ક્યારે ખોલવાના છે ? તું તો કહેતો હતો કે ઓપરેશન પછી પાટા ત્રીજા દિવસે ખોલી નાખશે. આ તો હજુ સુધી પાટા ખૂલ્યા નથી.” કારસૂરિ મહારાજને લાગ્યું કે બસ ! આ જ તક છે. હવે મારે ધીમે -ધીમે બધી વાત કરી દેવી જોઈએ. પૂ. કારસૂરિ મહારાજે ભૂમિકા બાંધતા કહ્યું કે - “ગુરુદેવ ! આપણે જ્યાં આંખનું ઓપરેશન કરાવ્યું 218