SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ તેની પ્રશંસા કરતા નથી. કિંતુ એક દિવસ દાળમાં મીઠું રહી ગયું કે તમે બૂમાબૂમ કર્યા વિના રહેતા નથી. દીકરો 50 આજ્ઞા માને છે. પણ ક્યારેક કોઈક આજ્ઞા ન માને તો તે ઘટનાને દલાલી ખાતે માંડી હવે ગુસ્સો પ્રગટવા નથી જ દેવો. પ્રગટે તો કાબૂમાં રાખવો છે - આવો સંકલ્પ થવો જોઈએ. અડીખે ગમે તે સંયોગોમાં મારે મારી પ્રસન્નતાને અકબંધ ટકાવી રાખવી છે, જાળવી રાખવ્વી છે, વૃદ્ધિગત કરવી છે' - આવી ભાવના હોય તો જ આ દલાલી પોલિસી અપનાવવાનું મન થાય, તે માટે અપેક્ષિત સત્ત્વ મળે. આ જ ગ્રન્થિભેદનું કારણ છે. માટે, દરેક જીવો પ્રત્યે સદ્ભાવ પ્રગટાવી, ખાસ નજીકના, વધુ ને વધુ જેઓ સાથે વ્યવહાર કરવાનો આવે છે તેવા જીવો પ્રત્યે સદ્ભાવને અપનાવીએ તો જ તેના બે ચાર દુર્વ્યવહારોને દલાલી ખાતે માંડી શકીએ. ઘરની વ્યક્તિઓ તમારા માટે કેટલો ભોગ આપે છે, તેનો કદી શાંત ચિત્તે વિચાર કર્યો ખરો ? એક વાર ઘરના ઘાટીથી માંડી તમારી શ્રાવિકા સુધીની સહુ નિકટની વ્યક્તિઓને નજર સમક્ષ લાવી તેના વિનાની જિંદગીની કલ્પના કરી જુવો. તમને તો જ ખ્યાલ આવશે કે તમારી સાથે સંકળાયેલા દરેક માનવીઓ તમારા માટે કેટલો ભોગ આપે છે ? હા ! દરેક વ્યક્તિને પોત-પોતાના સ્વાર્થ પણ હોય જ છે. કિંતુ તે જેટલો ભોગ આપે છે તેના બદલામાં તેની બે-ચાર ભૂલો તો અવશ્ય ક્ષમ્ય ગણી જ શકાય. આ બાબતમાં તો કોઈ બેમત નથી. આજે દલાલી નક્કી કરો કે દર 10 સારા વ્યવહારે એક ખરાબ વ્યવહારને દલાલી ખાતે નાખવો છે. જે વ્યક્તિ મારી સાથે 10 સારા વ્યવહાર કરે તેની સામે એક નબળો વ્યવહાર દલાલી ખાતે માંડી દેવો છે, ખમી લેવો છે. ઉત્તમ રસ્તો તો એ જ છે કે - તેના તમામ અપરાધોને ખમી લેવા. એ શક્ય ન હોય તો એમ પણ નક્કી કરી શકાય કે કોઈ પણ વ્યક્તિ તરફથી મને 10 સારા વ્યવહાર પ્રાપ્ત થાય પછી કોઈ પણ વ્યક્તિ મારી સાથે 1 દુર્વ્યવહાર કરે તો તેને સહી લેવો છે. તમે વિચારશો તો સમજાશે કે તમારી સાથે જેટલા દુર્વ્યવહાર થાય છે તેના 209
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy