SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ એ ભાઈનો પ્રશ્ન સાંભળી મને નવાઈ લાગી. પૂજા અને પેમેન્ટ સાથે એમણે કેવી રીતે સંબંધ જોડી દીધો ? - તે મને સમજાયું નહીં! પૂજા કરે એટલે મોક્ષ મળે - એવું તો ઘણી વાર શાસ્ત્રોમાં વાંચ્યું છે. પણ, આ ભાઈને ભગવાન પાસે કંઈક જુદી અપેક્ષા હતી. જો કે સંસારના દુઃખથી ત્રાસી સમકિતી જીવો માટે પણ પરમાત્મા સિવાય બીજો કોઈ આશરો હોતો નથી. પણ, મને આશ્ચર્ય એ થયું કે પોતાનું પેમેન્ટ નથી મળતું તેમાં એ ભાગ્યશાળી પોતાના કર્મને બદલે પરમાત્માને ગુનેગાર ઠેરવી રહ્યા હતા. પરમાત્માને બદલે એ પોતાના કર્મને જ જવાબદાર માને તે માટે મેં એમને એક દૃષ્ટાંત જણાવ્યું - “તમે નાના હતા, ત્યારે કયારેક ગલૂડિયાંને રોટલી આપવા ગયા હતા કે નહીં ?' પેલા ભાઈએ કીધું કે, “હા ! ચોક્કસ, મારી મમ્મીએ નાનપણથી જ મને રોજ રોટલી નાખવાનું શીખવ્યું હતું. અમારે ત્યાં તો ગલૂડિયા પણ પાછા ઘણા બધાં હતા.’ મેં આગળ વાત કરી - “તમે રોટલી કેવી રીતે આપતા? આમ એક જ વારમાં નાખી દેતા હતા કે પછી થોડું ઉપર, થોડું નીચે લલચાવી લલચાવી પછી આપતા હતા ?' થોડું લલચાવવું તો પડે ને ?' “તો પછી કર્મસત્તા ય તમને ઊંચા-નીચા કરીને જ પેમેન્ટ આપે ને !!!" - મેં કહ્યું. આપણે બીજાને હેરાન કરતા હોઈએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે આવી હેરાનગતિ જેના ઉપર વીતે તેની હાલત શું થાય ? જીવનમાં જે પણ દુઃખ તમારી ઉપર આવે છે, તેમાં કારણ તમે પોતે જ હો છો. બીજા કોઈના પણ કારણે દુઃખ આવતું નથી. આખું જગત આપણું દોસ્ત જ છે, આપણે જ આ જગત છે. આ જગતમાં રહેનારા દરેક વ્યક્તિઓ આપણા જ મિત્રો છે. માટે દરેકની સાથે મૈત્રીભાવ જ ઘટે. રમણ મહર્ષિના આશ્રમમાં ચોર પકડાયો. આશ્રમવાસી એક ભક્ત તેને જોરદાર મેથીપાક ચખાડી રહ્યો હતો. રમણ મહર્ષિ બોલ્યા 196
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy