SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ કેસેટમાં રેકર્ડ કરેલું તો આખરે સાંભળવું જ પડે છે. તેનાથી બચવાનો ઉપાય કોઈ નથી. પણ, એક વાર પોતાની ખરાબ કેસેટ સાંભળ્યા પછી ડાહ્યો માણસ કદાપિ ખરાબ રેકોર્ડીંગ તો ન જ કરાવે. સમજે છે કે “આ મારે જ સાંભળવાનું છે, તો કોઈ સારું જ રેકોર્ડીંગ કેમ ન કરાવું ?' જેમ આગમાં હાથ નાંખી દીધા પછી દાઝવું જ પડે છે, તેનાથી બચવાનો કોઈ વિકલ્પ નથી. પણ બુદ્ધિશાળી એ છે કે જે ફરીથી કદી આગમાં હાથ નાખી દેવાની ભૂલ કરતો નથી. તેમ પૂર્વભવોમાં કરેલા દુષ્કતોની કેસેટ તો હવે સાંભળવી જ રહી. મતલબ કે તેના ફળ રૂપે આવતા દુઃખ-દર્દોને તો સહેવા જ રહ્યા. કિંતુ જો બુદ્ધિમત્તા પોતાનામાં હોય તો હવે કદાપિ તેવું ખરાબ રેકોર્ડીંગ કરવાની - દુષ્કતો કરવાની ભૂલ તે ન કરે. હવે પછી કોઈ પણ દુષ્કતોને મારે મારા જીવનમાં સ્થાન આપવું નથી - આવો સંકલ્પ શું જાગે ? “જો મારું કોઈ અપમાન કરે તે મારાથી સહન નથી થતું તો ઘરમાં રહેલા નોકર-ચાકર, દુકાનના માણસો કે બીજા કોઈનું પણ અપમાન મારે નથી કરવું - આવી ભાવના પ્રગટે? પોતાનું અપમાન થાય ત્યારે જે તીવ્ર દુઃખનું સંવેદન થાય છે. તેવું જ 190
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy