________________ JU ગઈ પોલિસીમાં જોયું કે “આત્મા કિંમતી ખજાનો છે' - આવું ભાન સતત જરૂરી છે. તેના માટે સતત આત્માને નજર સમક્ષ રાખવો જરૂરી છે. તેના માટે પરિસ્થિતિ દુઃખદાયી ન લાગે પણ, કર્મ દુઃખદાયી લાગે, દુઃખરૂપ લાગે તે જરૂરી છે. તે માટે મસ્ત વિચારધારા આ પોલિસી આપે છે. પરિવારજનના મૃત્યુના સમાચાર આપનાર પોસ્ટમેન ઉપર માણસ ગુસ્સે નથી થતો, અશુભ સમાચાર લઈને આવનાર પોસ્ટમેન માણસને દોષિત નથી લાગતો. કારણ કે તે જાણે છે, ટપાલી આપત્તિના સંદેશાને માત્ર લાવે છે, તે નવી આપત્તિ ઊભી નથી કરતો. મતલબ કે તે ફક્ત મેસેન્જર છે. ક્રિએટર નહીં. સંદેશો લાવનારનો કોઈ વાંક હોતો નથી. માટે, એના પ્રત્યે ગુસ્સો કરવાનો કોઈ મતલબ નથી. આવી જ સ્પષ્ટ સમજણ કોઈ અપમાન કરે, કોઈ હેરાન કરે, કોઈ ઉઘરાણી દબાવી દે આવા સમયે અપનાવવી જોઈએ. બે ચાર શબ્દ સંભળાવનાર વ્યક્તિ એ તો સંદેશો આપનાર છે કે - “મિત્ર ! સાવધાન થઈ જા ! તે પૂર્વભવમાં કરેલા બીજાના અપમાન વગેરેને કારણે જે કર્મ બાંધ્યું છે, તે હવે ઉદયમાં આવી ગયું છે. મારા દ્વારા તેની વસૂલી 91