SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સચવાય. શાસ્ત્રકાર પરમર્ષિ ભગવંતો આપણને આ જ ઉપદેશ આપી રહ્યા છે કે - ધર્મસાધન એવા શરીરને સાચવો પણ, આત્માને બગાડીને નહીં. આત્માને બગાડીને શરીર સાચવનાર મૂર્ખ છે. તથા શરીરની સાચવણી શાંતિથી પણ થઈ શકે છે. ક્રોધથી જ શરીરની સાચવણી થઈ શકે' - તેવું તો નથી જ ને ! તો પછી શા માટે અત્યંત કિંમતી ખજાના જેવા આત્માને નુકસાન પહોંચાડવું? શરીર અને આત્મામાંથી જો કોઈ એક જ સચવાઈ શકે તેમ હોય તો આત્માને જ સાચવવો રહ્યો. કારણ કે આત્મા જ કિંમતી છે, તમારો પોતાનો છે. કપડા જો તમને પ્રિય હોય, શરીર જો તમને પ્રિયતર હોય તો આત્માને પ્રિયતમની ભૂમિકાએ રાખો. તો જ આત્મા સચવાય અને શરીરની ઉપેક્ષા શક્ય બને. “ગમે તેવી પરિસ્થિતિમાં પણ આત્માને દૂષિત થવા દેવો નથી, મારે આત્માને કલુષિત થવા દેવો નથી. સંલેશની ભઠ્ઠીમાં સેકાવા અને સળગવા દેવો નથી' - આવી જાગૃતિ સતત રાખવા જેવી છે. છેલ્લે આ પોલિસીનો સંદેશો મગજમાં નોંધી લો કે “આત્મા એ જ કિંમતી ખજાનો છે. સૌથી વધુ સાચવણી આત્માની અને તેના ક્ષમાદિ સદ્ગણોની જરૂરી છે. ક્રોધ કરવા દ્વારા તેને લૂંટાવી દેવી તે નરી મૂર્ખામી છે. આ મૂર્ખામી ભારે નુકસાનકારી છે.' આ સંદેશાને વારે વારે ઘંટો. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે નજર સમક્ષ લાવો. ગુસ્સો ઉતરીને જ રહેશે ! ક્રોધી પોતાના હિતસ્વી ઉપર પણ પ્રહાર કરી બેસે છે. - શેક્સપિયર,
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy