SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૨૬૮મું - અસ્વાધ્યાય 731 દ્વાર 26 ૮મું - અસ્વાધ્યાય જેમાં સ્વાધ્યાય ન થાય તે અસ્વાધ્યાય. તે બે પ્રકારે છે - (1) આત્મસમુત્ય - સ્વાધ્યાય કરનારથી થયેલ હોય તે. (2) પરસમુત્ય - સ્વાધ્યાય કરનારા સિવાયના અન્યથી થયેલ હોય તે. તે 5 પ્રકારે છે - (i) સંયમઘાતી - સંયમનો ઘાત કરે છે. તેના 3 પ્રકાર છે - (a) મહિકા - કારતકથી મહા મહિના સુધી પડતી ધૂમ્મસ. તે પડતાની સાથે જ બધુ અપ્લાયથી ભાવિત કરે છે. (b) સચિત્ત રજ - વ્યવહારથી સચિત્ત, જંગલના પવનથી ઊડેલી ધૂળ તે સચિત્ત રજ. તેનો રંગ કંઈક લાલ હોય છે. તે આંતરામાં દેખાય છે. નિરંતર પડવા વડે તે 3 દિવસ પછી બધુ પૃથ્વીકાયથી ભાવિત કરે છે. (c) વર્ષા - તે 3 પ્રકારે છે - (1) બુબુદ વર્ષા - જે વરસાદમાં પાણીમાં પરપોટા થાય છે. તે 8 પ્રહર પછી, મતાંતરે 3 દિવસ પછી બધુ અપ્લાયથી ભાવિત કરે છે. (2) બુબુદરહિત વર્ષા - જે વરસાદમાં પાણીમાં પરપોટા ન થાય તે. તેમાં પાંચ દિવસ પછી બધુ અપ્લાયથી ભાવિત થાય છે. (3) જલસ્પર્શિકા વર્ષા - જે વરસાદમાં ઝીણી વાછટ થાય છે. તેમાં સાત દિવસ પછી બધુ અપ્લાયથી ભાવિત થાય છે. સંયમઘાતી અસ્વાધ્યાયમાં દ્રવ્યથી ધૂમ્મસ, સચિત્તરંજ કે વર્ષો વર્જાય છે.
SR No.032804
Book TitlePadarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2016
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy