SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ 581 નામકર્મની ઉત્તરપ્રકૃતિઓ બધાના મનને આનંદિત કરે તે. (30) સુસ્વર નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનો સ્વર મધુર, ગંભીર, ઉદાર થાય તે. (31) આદેય નામકર્મ - જે કર્મના ઉદયથી જીવ કંઈ પણ બોલે તો પણ તેનું વચન માન્ય થાય તે. (32) યશકીર્તિ નામકર્મ - જે કર્મના ઉદયથી યશ-કીર્તિ મળે છે. યશ = ખ્યાતિ, કીર્તિ = ગુણગાનરૂપ પ્રશંસા. અથવા, યશ = તે પરાક્રમથી થાય છે, બધી દિશાઓમાં ફેલાય છે. કીર્તિ = તે દાનપુણ્યથી થાય છે, એક દિશામાં ફેલાય છે. (33) સ્થાવર નામકર્મ - તાપ વગેરેથી પીડિત થવા પર એકસ્થાનેથી બીજા સ્થાને જઈ ન શકે તે સ્થાવર. જે કર્મના ઉદયથી આવું સ્થાવરપણું મળે તે સ્થાવર નામકર્મ. (34) સૂક્ષ્મ નામકર્મ - અનંતા જીવોના અસંખ્ય શરીર ભેગા થાય તો પણ ચર્મચક્ષુથી જોઈ ન શકાય તે સૂક્ષ્મ જીવો. જે કર્મના ઉદયથી આવું સૂક્ષ્મપણું મળે તે સૂક્ષ્મ નામકર્મ. (35) અપર્યાપ્ત નામકર્મ - જે કર્મના ઉદયથી જીવ પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરવા સમર્થ ન બને તે. (36) સાધારણ નામકર્મ - જે કર્મના ઉદયથી અનંતા જીવોને સાધારણ એવું એક શરીર મળે તે. (37) અસ્થિર નામકર્મ - જે કર્મના ઉદયથી જીભ વગેરે અવયવો અસ્થિર બને છે. (38) અશુભ નામકર્મ - જે કર્મના ઉદયથી નાભિની નીચેના પગ વગેરે અવયવો અશુભ બને છે. પગ વગેરેથી અડવા પર બીજા ગુસ્સે થાય છે. માટે પગ વગેરે અશુભ છે.
SR No.032804
Book TitlePadarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2016
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy