SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ 579 નામકર્મની ઉત્તરપ્રકૃતિઓ (14) વિહાયોગતિ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવને સારી કે ખરાબ ચાલ મળે છે. તેના 2 ભેદ છે - (1) શુભવિહાયોગતિ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવને હંસ, હાથી, બળદ વગેરેની જેમ સુંદર ચાલ મળે તે. (ii) અશુભવિહાયોગતિ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવને ગધેડા, ઊંટ, પાડા વગેરેની જેમ ખરાબ ચાલ મળે તે. (15) અગુરુલઘુ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર એકાંતે ગુરુ (ભારે) નહીં અને એકાંતે લઘુ (હલકુ) નહીં પણ અગુરુલઘુ. પરિણામવાળુ થાય છે. એકાંતે ગુરુ શરીર હોય તો ચાલી ન શકાય, એકાંતે લઘુ શરીર હોય તો પવનથી ઊડી જાય. (16) ઉપઘાત નામકર્મ - જે કર્મના ઉદયથી જીવ વધતા એવા પડજીભ, રસોળી, ચૌરદાંત વગેરે પોતાના શરીરના અવયવો વડે પોતે પીડાય છે. (17) પરાઘાત નામકર્મ - જે કર્મના ઉદયથી ઓજસ્વી જીવ દર્શનમાત્રથી કે વાણીની સુંદરતાથી રાજાની સભામાં પણ સભ્યોને ક્ષોભ પમાડે અને પ્રતિપક્ષનું નિરાકરણ કરે તે. (18) શ્વાસોચ્છવાસ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવને શ્વાસોચ્છવાસ કરવાની લબ્ધિ મળે છે. શ્વાસોચ્છવાસ નામકર્મથી શ્વાસોચ્છવાસ કરવાની લબ્ધિ મળે છે. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી જીવ શ્વાસોચ્છવાસ કરે છે. (19) આતપ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું અનુષ્ય શરીર ઉષ્ણ પ્રકાશ આપે છે. સૂર્યના વિમાનમાં રહેલા બાદર પૃથ્વીકાયના જીવોને જ આતપ નામકર્મનો ઉદય હોય છે. અગ્નિને આતપ નામકર્મનો ઉદય હોતો નથી પણ ઉષ્ણસ્પર્શ નામકર્મના ઉદયથી તે ઉષ્ણ હોય છે અને ઉત્કૃષ્ટ લોહિતવર્ણ નામકર્મના ઉદયથી તે પ્રકાશ આપે છે.
SR No.032804
Book TitlePadarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2016
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy