________________ 174 તીર્થકરના 34 અતિશયો (11) ચારે દિશામાં 25 યોજન સુધીમાં દુષ્ટ દેવતા વગેરેએ કરેલ મારી થતી નથી. (12) ચારે દિશામાં 25 યોજન સુધીમાં અનાજ વગેરેનો વિનાશ કરનાર ઘણા પતંગિયા, પોપટ, ઉંદર વગેરે રૂપ ઇતિ થતી નથી. (13) ચારે દિશામાં 25 યોજન સુધીમાં અતિવૃષ્ટિ (વધુ વરસાદ) થતી નથી. (14) ચારે દિશામાં 25 યોજન સુધીમાં અનાવૃષ્ટિ (વરસાદ સર્વથા ન થવો) થતી નથી. (15) પ્રભુના મસ્તકની પાછળ દેદીપ્યમાન ભામંડલ હોય છે. દેવોએ કરેલા 19 અતિશયો - (16) પાદપીઠ સહિત સ્ફટિકનું સિંહાસન રચે છે. (17) ત્રણ છત્ર રચે છે. (18) પ્રભુની આગળ નાની ધજાઓથી શોભતો 1,000 યોજન ઊંચો ઇન્દ્રધ્વજ રચે છે. (19) બન્ને બાજુ દેવો ચામર વીંઝે છે. (20) પ્રભુની આગળ કમળ ઉપર પ્રતિષ્ઠિત ધર્મચક્ર રચે છે. સિંહાસન, છત્ર, ઇન્દ્રધ્વજ, ચામર અને ધર્મચક્ર - આ પાંચ જયાં જયાં પ્રભુ | વિચરે છે ત્યાં ત્યાં આકાશમાં સાથે જાય છે. (21) જયાં જયાં પ્રભુ સ્થિર રહે છે ત્યાં ત્યાં અશોકવૃક્ષ રચે છે. (22) પ્રભુ પૂર્વાભિમુખ બેસે છે. બાકીની ત્રણ દિશામાં પ્રભુના પ્રભાવથી પ્રભુ જેવા જ પ્રતિબિંબો બનાવે છે. (23) સમવસરણમાં ત્રણ ગઢ રચે છે. વૈમાનિક દેવો ઉપરથી પહેલો