SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આવેશ આવે ત્યારે હાલત શું? અંદરમાં જીવ તરીકે જીવનો ઉપયોગ આવ્યો ને એના હિત માટે ને સ્વ ની કરૂણા માટે બધું જ કરાય. વર્તમાનમાં સમતારસને અનુભવવો એ જ મોક્ષનો અનુભવ છે. પાંચમાં ગુણ ઠાણે મોક્ષના અનુભવની શરૂઆત થાય. ૬ઠે આવેલો ૭મે જવાની સતત ભાવનાવાળો 13 મે સ્થિર થાય. સમતારસનો નિરંતર એકસરખો અનુભવ 12 મે થી 13 મે થાય. ભક્ત પણ ભગવાનનો અને મુનિ પણ ભગવાનનો જ ભક્ત હોય તો કોઈ ગરબડ થાય નહી. છઘસ્થ દશામાં રહેલા પરમાત્મા પરમાત્મ દશાને અનુભવવાના પૂર્ણ પ્રયત્નમાં તરત પરમાત્મા બની ગયા નથી. પ્રશસ્ત કરૂણાભાવ ના કારણે ચંડકૌશિકને બુઝવવા ગયા. તત્ત્વદેષ્ટિથી જોનારો જગતને પકડે નહી આપણે જાણીને પકડવા જઈએ. સમતારસનું પાન છોડીને છાંયડો પકડી તેમાં રામપોશી પાછો એને સમાધિ માને. સમાધિ જેને જોતી નથી તેને સમાધિન જ મળે. શાતામાં સમાધિ એમિથ્યાત્વનો ભ્રમ છે. * સુખ દુખ કરમ ફળ જાણો, નિશ્ચય એક આણંદો રે, શાતા - અશાતા બન્નેમાં સમાધિ રાખવાની છે, શાતામાં રતિ અને અશાતામાં અરતિ ન થવા દેવી એ સમાધિ છે. રતિ-અરતિ એ દુર્બયાન છે માટે સમાધિ થાઓ એ જ પરમાત્મા પાસે માંગવાનું છે. પાંચ ઈન્દ્રિયોના વિષયોનું દ્વાર કાયા છે તેથી સતત કાયાથી કર્મગ્રહણ ચાલુ છે માટે કાયાની સ્થિરતા કરવાની છે. કાયા એ હું છું એ મિથ્યાત્વ કાયોત્સર્ગ ધ્યાન મુક્યું. દીક્ષા લઈને આત્મરમણતા માટે એ કાય ગુતિ રૂપ માર્ગ મુક્યો છે. જેને વહેલી તકે આત્માનો પૂર્ણ સમતા રસ લૂંટવો હોય તેની માટે આ સાદો, સરળ, સચોટ અને સહેલો ઉપાય કાર્યોત્સર્ગાનરૂપ માર્ગ પરમાત્માએ બતાવ્યો છે એક જ માર્ગ “અપ્પાણે વોસિરામિ. માટે બાહુબલીએ જ કર્યુયુધ્ધના મેદાને લોન્ચ કરી ત્યાંજ એક વર્ષ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા પણ નાના ભાઈઓને જ્ઞાનસાર || 176
SR No.032776
Book TitleGyansara Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherSacchidanand Gyanvardhak Trust
Publication Year2016
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy