SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ 1eo નિષધપતિ. " દેવદૂત ! હું આપની વ્યથા સમજી શકું છું. કાલે અંગે આપે કહેલી વાતને મેં ઉત્તર આપે એને અર્થ એમ ન સમજશે કે મને લેકપાલો પ્રત્યે ધૃણા છે. હું તે એવા સમર્થોને પૂજ્ય ગણું છું અને વંદન કરું છું. લેકપાલની પસંદગી કરવાને. આપને આગ્રહ મારે માટે આશ્ચર્યરૂપ છે. જેમ હંસે કાકડીના વેલાનું ભક્ષણ કરતા નથી, તેમ દેવાંગનાઓ સાથે પ્રીડા કરનારા દે શું કદી માનવસ્ત્રીનું સેવ કરવા તૈયાર થાય ? દેવ અને માનવનાં. બળ, બુદ્ધિ તેજ, વય અને સમૃદ્ધિમાં આકાશ પાતાળનું અંતર હેય ન અને પથ સંગ સંભવી શકતો નથી. એક ઝ અબૂઝ પ્રહરતી પર આરોહણ કેવી રીતે ? શકે ? દેવાંગનાઓ સમક્ષ માનવસ્ત્રી તે સાવ બિચારી દેખાય છે... આમ છતાં દેવોને જે રુચિકર હોય તે જણાવી શકે છે... અને વામીનું કાયસેવક તો કરવું જ જોઈએ. એ એની શોભા છે? પરંતુ સિંહ સાથે મૃગને ભેટવાને અધિકાર હેય નહિ...વળી, લેક પાને પ્રતિમારૂપે હું હંમેશ પૂજતી રહું છું. એટલે એ મારા જ છે ! આપને ખ્યાલ તો હશે જ કે મારા પિતાની કુળપરંપરામાં સ્વયંવર વિધિ ચાલ્યો આવે છે. એ પ્રથાને જાળવવા માટે જ મારા વડીલોએ મને સ્વયંવર આપ્યો છે. આ તરફ મારે મારા વડીલની અને કુળ પરંપરાના વિજયની કાળજી રાખવાની છે, બીજી તરફ દેની આવી પ્રાર્થના આવી પડી છે...એટલે આ ગેમાં આપ જ મને સલાહ આપી કે મારે શું કરવું ઉચિત છે ? હું તો એક બાલિકા છું...દેવને ઉત્તર આપવાની મારામાં શક્તિ ક્યાંથી હોય! જે આપ મારા પ્રત્યે દાક્ષિણ્ય ભાવ લાવીને પૂજવા યોગ્ય લોકપાલને તેઓની મલિન સ્પૃહાથી અટકાવો તે વધારે સારું. હે દેવદૂત, આપની હાજરીમાં સજજન, પુરુષોની નિંદા ન થાય તે વધારે ઉચિત લાગે છે. કારણ કે જગતમાં
SR No.032775
Book TitleNishadh Pati
Original Sutra AuthorN/A
AuthorMohanlal Chunilal Dhami
PublisherNavyug Pustak Bhandar
Publication Year1979
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy