SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ 438 તે અષ્ટક तथा भवविरक्तानां तत्त्वज्ञानार्थिनामपि // 3 // - જેમ ધનના અથીને ટાઢ તાપ પ્રમુખ દુસહ નથી, તેમ સંસારથી વિરક્ત તત્ત્વજ્ઞાનના અથીને પણ શીતતાપાદિ કષ્ટ સહન કરવારૂપ તપ દુષ્કર નથી. જેમ ધને પાર્જન કરવાની વૃત્તિવાળાને ટાઢ તાપ વગેરેનું કષ્ટ દુસહ નથી, કારણ કે ધન ઉપાર્જન કરવામાં કુશલ પુરુષ ટાઢ તાપ આદિ બધુંય કષ્ટ સહન કરે છે, તેમ તત્ત્વજ્ઞાનના અથી અને સંસારથી વિરક્ત થયેલાને ઉપવાસાદિ તપ દુસહ નથી, કારણ કે કાર્યને અથી તેના કારણમાં પ્રમાદ કરતા નથી. તેથી પરમાનન્દરૂપ કાર્યને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળે ઉપવાસાદિ તપરૂપ કણકિયામાં સહપણું માનતો નથી. सदुपायप्रवृत्तानामुपेयमधुरत्वतः। ज्ञानिनां नित्यमानन्दवृद्धिरेव तपस्विनाम् // 4 // ભલા ઉપાયમાં પ્રવૃત્ત થયેલા જ્ઞાની એવા તપસ્વીને નિસિપાધિક ઇચ્છાના વિષય મોક્ષરૂપ સાધ્યની મીઠાશથી હંમેશાં આનન્દની વૃદ્ધિ જ હોય છે. કઠણ ક્રિયામાં પણ મક્ષસાધનના મનરથથી આનન્દ જ હોય છે. વૈરાગ્યરતિમાં વગેરે કષ્ટ. ટુહંદુસહ. નારિત=નથી. તથા=તેમ.મરવિરજીનાં સંસારથી વિરક્ત થયેલા. તાનાથના તત્ત્વજ્ઞાનના અર્થને. પિકપણ. (શીત-તાપાદિ કષ્ટ સહન કરવારૂપ તપ દુષ્કર નથી.) 1 સાયપ્રવૃત્તાનાં સારા ઉપાયમાં પ્રવૃત્ત થયેલા. જ્ઞાનિનાં જ્ઞાની એવા. તપવિનામૂતપસ્વીને. હવે મધુરવતઃ=મોક્ષરૂપ સાધ્યની મીઠાશથી. નિત્યં હંમેશાં. માનવૃદ્ધિો=આનન્દની વૃદ્ધિ જ હોય છે.
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy