________________ જ્ઞાનસાર W vvvvvvvvvvvvvvvvv૧છે . * * * તેમાં દષ્ટાન્ત તરીકે સૂક્ષ્મ એકેન્દ્રિયને અશુદ્ધતાને અનુસરનાર અલ્પ પશમ હોવાથી અલ્પ બન્ધ થાય છે. અને સંજ્ઞી પંચેન્દ્રિયને અશુદ્ધતાને અનુકૂળ ઘણે ક્ષયોપશમ હોવાથી તીવ્ર બંધ થાય છે, ઈત્યાદિ જાણવું. કહ્યું છે કે-“પપ્પા કરે? વારું થવા વેઇ વસવસો ઘો”! “આત્મા કર્મ કરે છે અને તેને પરવશ થઈને આત્મા કર્મને વેદે છે.” તથા ભગવતી અને પ્રજ્ઞાપનાદિ સૂત્રમાં કહ્યું છે કે સત્તા જન્મ વંતિ, નો વર” આત્માએ (પતે) કરેલાં કર્મ બંધાય છે, પણ બીજાએ કરેલાં કર્મ બંધાતાં નથી. તે પણ આત્મપ્રદેશેાએ અવગાહેલાં કર્મ બંધાય છે, પણ અનવગાઢ-આત્મપ્રદેશએ નહિ અવગાહેલાં કર્મ બંધાતાં નથી. ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે –“સત્તા જરા વિચારા ય સુહા 5 ટુહાણ થ', “આત્મા સુખ અને દુઃખને કર્તા અને અકર્તા છે” ઇત્યાદિ. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે “વાયા સાદિમ” આત્મા પિોતે કરેલા કર્મનો નાશ કરનાર છે. ઈત્યાદિ સ્વયમેવ યોજના કરવી, આવશ્યક નિર્યુક્તિમાં શ્રેણીથી પડવાના અધિકારમાં કહ્યું છે કે - उवसामं उवणीया गुणमहया जिणचरित्तसरिसं पि / पडिवायंति कसाया किं पुण सेसे सरागत्थे / जइ उवसंतकसाओ लहइ अणंतं पुणो वि पडिवायं / न हु भे वीससियव्वं थोवे वि कसायसेसंमि // अणथोवं वणथोवं अग्गिथोवं कसायथोवं च / न हु मे वीससियव्वं थेवं पि हु तं बहु होइ / आव०नि० गा० 118-120