SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૦ માદયસ્થાષ્ટક ~ ~~ ~ એ સ્ત્રી નથી, જે તેને ભેદ સ્વીકારવામાં ન આવે તે વાયના અર્થની હાનિ થાય. કારણ કે અર્થની ભિન્નતા જણાવવા માટે વચન બોલવામાં આવે છે. સ્વાતિ, તારા, નક્ષત્ર. એમાં લિંગ–જાતિને ભેદ હોવાથી તે ભિન્ન છે. લીંબડા, આંબા અને કદ વન છે. એમાં વચનને ભેદ છે. તે રાંધે છે, તું રાંધે છે, હું રાંધુ છું, અમે બે રાંધીએ છીએ, અમે રાંધીએ છીએ એ બધામાં પહેલા પુરૂષ, બીજા પુરૂષ અને ત્રીજા પુરૂષ અને વચનને ભેદ હોવાથી તેઓને ભિન્ન ભિન્ન અર્થ છે. ઈત્યાદિ સર્વ વિશેષ વડે પરસ્પર વિરુદ્ધ હોવા છતાં એકરૂપ માનવામાં આવે તે અવસ્વરૂપ થાય. માટે પરસ્પર વિશેષોથી વિરુદ્ધ હોવાથી એકતા અને વસ્વરૂપે સ્વીકારવી જોઈએ. જેમકે “અગ્નિ ઠંડે છે, એ પરસ્પર વિરૂદ્ધ હોવાથી અવસ્તુ છે. તેમ તટસ, તટો, તટસ્ એ પણ પરસ્પર વિરૂદ્ધ હોવાથી તેની એકતા અવસ્તુ છે. જેમ રાતું અને કાળું. જે વસ્તુ પરસ્પર અવિરૂદ્ધ વિશેષવાળી છે તેને પુરૂષ સ્વીકારે છે. જેમકે ઘટ, કુંભ અને કુટ વગેરે. જ્યાં અર્થ શબ્દને વ્યભિચારી થતું નથી તે અભિધાન– શબ્દ છે. એટલે સમાન લિંગ, સંખ્યા અને પુરૂષને વાચક શબ્દ કહેવાય છે. એ માન્યતાને લીધે કહેવાય છે કે “અર્થવૃત્તિતાનાં રાલ્ફ ઇવ નિવપન અર્થની પ્રવૃત્તિના પુલિંગ અને સ્ત્રીલિંગના ભેદથી ભિન્ન અર્થ છે. દારા (બહુવચન) અને કલત્ર. અહીં વચનના ભેદથી બન્નેનો અર્થ પરસ્પર ભિન્ન છે. હું રાંધું છું, તું રાધે છે. અહીં પુરુષના ભેદથી રાંધવાની ક્રિયા ભિન્ન છે. આહાર, વિહાર, સંહાર. અહીં ઉપસર્ગના ભેદથી ભિન્ન ભિન્ન અર્થ છે-જુઓ “રત્નાકરાવતારિકા” પરિ૦ 7 સૂ૦ 32-33.
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy